હાલ કોરોનાના કારણે દેશભરમાં ઓક્સિજનની માંગમાં મોટો વધારો થઇ રહ્યો છે. ત્યારે PMએ સૌથી વધારે કેસ વાળા રાજ્યોમાં ઓક્સિજન પુરુ પાડવાના નિર્દેશ કર્યા છે.
PMએ આ રાજ્યોમાં ઓક્સિજન પુરુ પાડવાના નિર્દેશ કર્યા
મંત્રાલયો અને રાજ્ય સરકારોની વચ્ચે તાલમેલ સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ
ઓક્સિજનની માંગને પુરી કરવામાં આવી રહી છે - પીએમ
PMએ આ રાજ્યોમાં ઓક્સિજન પુરુ પાડવાના નિર્દેશ કર્યા
કોરોનાની સંકટની વચ્ચે ઓક્સિજન સંકટ આવી પડ્યું છે. હોસ્પિટલોમાં ઓક્સિજનની અછતને લીધે અનેક લોકોને જીવ ગુમાવવા પડ્યા છે. ઓક્સિજનની ઉપલબ્ધીના પગલે પીએમ મોદીએ શુક્રવારે સમીક્ષા બેઠક કરી. આ સાથે પીએમએ સૌથી વધારે કેસ વાળા રાજ્યોમાં ઓક્સિજન પુરુ પાડવાના નિર્દેશ કર્યા છે.
મંત્રાલયો અને રાજ્ય સરકારોની વચ્ચે તાલમેલ સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ
સમીક્ષા બેઠક દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે મંત્રાલયો અને રાજ્ય સરકારોની વચ્ચે તાલમેલ સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ છે. પીએમને સ્વાસ્થ્ય, ડીપીઆઈઆઈટી, ઈસ્પાત, રોડ પરિવહન વગેરે મંત્રાલયોના ઈનપુટ પર જાણકારી આપવામાં આવી. મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, દિલ્હી, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનથી આવી રહેલી ડિમાન્ડની સમીક્ષા કરી.
ઓક્સિજનની માંગને પુરી કરવામાં આવી રહી છે
પીએમએ જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સતત સંપર્કમાં છે અને ઓક્સિજનની માંગને પુરી કરવામાં આવી રહી છે. 20 એપ્રિલ, 25 એપ્રિલ અને 30 એપ્રિલે આવેલી માંગને પુરી કરવા 12 રાજ્યોને ક્રમશઃ 4880 મેટ્રિક ટન, 5619 મેટ્રિક ટન અને 6593 મેટ્રિક ટન ઓક્સિજન પુરો પાડવામાં આવ્યો છે.
ઓક્સિજન લઈ જનારા ટેન્કરોની બેરોકટોક આવનજાવન સુનિશ્ચિત કરવાના નિર્દેશ કર્યા
પીએમને ઓક્સિજનની માંગને પહોંચી વળવા ક્ષમતા વધારવા પર જાણકારી અપાઈ. પીએમએ પ્રત્યેક સંયંત્રની ક્ષમતા અનુસાર ઓક્સિજન ઉત્પાદન વધારવાનુ સૂચન કર્યું. પીએમે એધિકારીઓને સમગ્ર દેશમાં ઓક્સિજન લઈ જનારા ટેન્કરોની રોકટોક વગર આવનજાવન સુનિશ્ચિત કરવાના નિર્દેશ કર્યા છે. સરકારે ઓક્સિજન ટેન્કોરોને તમામ આંતરરાજ્ય પરમિટના રજીસ્ટ્રેશનમાં છુટ આપી છે. સિલેન્ડર ભરનારા પ્લાન્ટ્સને પણ જરુરી સુરક્ષા ઉપાયો માટે 24 કલાક કામ કરવાની પરવાનગી આપી.
ઔદ્યોગિક સિલેન્ડરોના શુદ્ધિકરણ બાદ ચિકિત્સા ઓક્સિજન માટે ઉપયોગ
આ સાથે સરકારો ઔદ્યોગિક સિલેન્ડરોના યોગ્ય શુદ્ધિકરણ બાદ ચિકિત્સા ઓક્સિજન માટે ઉપયોગમાં લેવાની પરવાનગી આપી રહી છે. આ માટે ટેંકરોની શક્ય અછતને દુર કરવા માટે નાઈટ્રોજન અને ઓર્ગન ટેંકરોના સ્વચાલિત રુપથી ઓક્સિજન ટેંકરોમાં પરિવર્તિત કરવાની પરવાનગી આપવામાં આવશે.