દેશમાં કોરોનાના કહેર વચ્ચે રાહતના સમાચાર મળ્યા છે. ગત 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 3804 દર્દીઓ સ્વસ્થ થયા છે. તેની સાથે દેશમાં કોરોના વાયરસ સામેની જંગ જીતનાર લોકોની સંખ્યા વધીને 1,04,107 થઇ ગઇ છે. ભારતમાં કોરોનાથી દર્દીઓનો રિકવરી રેટ પણ વધ્યો છે. ગુરુવારે ભારતમાં કોરોનાથી રિકવરી રેટ 47.99 ટકા રહ્યો.
24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 3804 દર્દીઓ સ્વસ્થ થયા
દેશમાં કોરોના વાયરસથી કુલ 1,04,107 લોકો સ્વસ્થ થયા
ભારતમાં હાલમાં કોરોના વાયરસના 1,06,637 એક્ટિવ કેસ છે. જેમનો દેશની વિવિધ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે.
આઇસીએમઆરએ સંક્રમણના દર્દીઓમાં કોરોના વાયરસની જાણ માટે ટેસ્ટિંગ ક્ષમતા એકવાર ફરી વધારી દીધી છે. હવે દેશની સરકારી લેબની સંખ્યા વધીને 498 કરી દેવાઇ છે. ગત 24 કલાકમાં કોરોના ટેસ્ટ કરાવનારી પ્રાઇવેટ લેબને વધારીને 212 કરી દેવાઇ છે.
પ્રાત્ત જાણકારી મુજબ ગત 24 કલાકમાં 1,39,485 સેમ્પલનું પરીક્ષણ કરાયું છે. આ પ્રકારે અત્યાર સુધીમાં સુધીમાં તપાસમાં આવેલા સેમ્પલોની કુલ સંખ્યા 42,42,718 થઇ ગઇ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વાયરસ મહામારીમાં સુરક્ષિત ઇએનટી પ્રેક્ટિસના સંબંધમાં નવા દિશાનિર્દેશ જાહેર કર્યા છે. તેનાથી સંબંધિત વર્ણન મંત્રાલયની વેબસાઇટ પર જોઇ શકાય છે. દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. દેશમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 2,16,919 થઇ ગઇ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 6075 લોકોના મોત થયા છે