દેશમાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ફક્ત દિલ્હીમાં ગત 6 દિવસની અંદર 628 લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો તરફથી કોરોનાને રોકવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ તમામની માહિતી આપતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષ વર્ધને કહ્યું તે કોરોનાની વિરુદ્ધ લડાઈનો 11મો મહિનો ચાલી રહ્યો છે.
સમગ્ર દુનિયામાં 250 કોરોના રસીની કંપનીઓ છે
કોરોનાની વિરુદ્ધ લડાઈનો 11મો મહિનો ચાલી રહ્યો છે
2021 પહેલા 3 મહિનામાં આપણને રસી મળશે
એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને કહ્યું કે સમગ્ર દુનિયામાં 250 કોરોના રસીની કંપનીઓ છે. આમાંથી 30ની નજર ભારત પર છે. દેશમાં 5 રસીના ટ્રાયલ ચાલી રહ્યા છે. 2021 પહેલા 3 મહિનામાં આપણને રસી મળશે. સપ્ટેમ્બર સુધીમાં 25થી 30 કરોડ ભારતીઓને રસી આપી દેવામાં આવશે.
સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું કે સૌથી પહેલા હેલ્થ વર્કરને કોરોનાની રસી આપવામાં આવે. આ બાદ ફ્રન્ટ લાઈન વર્કર, પોલીસ અને પેરામિલિટ્રી ફોર્સને રસી લગાવવામાં આવશે. આ બાદ 65 વર્ષથી ઉપરની ઉંમરના લોકોને કોરોનાની રસી લગાવવામાં આવશે. 50 વર્ષથી વધારે ગ્રપને અને પછી કોમર્બિડિટીના દર્દીઓને લાગશે.
હર્ષવર્ધને કહ્યું કે કેટલાક શહેરોમાં સ્થિતિ ચિંતાજનક છે. ગત સમયમાં કોરોનાના કેસ વધ્યા છે. તેમણે કહ્યું કે ટેસ્ટ અને ટ્રેસિંગથી કોરોનાને રોકી શકાય છે. સુપર સ્પ્રેડર વાળી જગ્યાઓ પર ટેસ્ટ કરવા જોઈએ. દિલ્હીમાં વસ્તી સૌથી મોટી સમસ્યા છે. તેમણે કહ્યું કે પીએમ મોદી વધું અસરગ્રસ્ત રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક કરવાના છે. પ્રધાનમંત્રી પોતે અપડેટ પર નજર રાખી છે. સતત પહેલા દિવસથી મોનિટરિંગ કરી રહ્યા છે. અમે સરકાર સાથે મળીને કોરોનાને હરાવીશું.