દેશમાં ફરીથી એકવાર કોરોના માથું ઉંચકી રહ્યો છે ત્યારે ખાસ વાત એ છે કે પ્રદુષણના કારણે દિલ્હીમાં તેનો પ્રભાવ વધારે જોવા મળી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મળતી માહિતી અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના કારણે 496 લોકોના મોતમાંથી 71 ટકા મોત 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં થયા છે. જેમાં કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી, પ.બંગાળ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, હરિયાણા અને છત્તીસગઢનો સમાવેશ થયો છે.
દેશમાં વકર્યો કોરોના
8 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વધ્યું મોતનું પ્રમાણ
સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાને લઈને વ્યક્ત કરી ચિંતા
મંત્રાલયે રવિવારે કહ્યું કે સંક્રમણથી દિલ્હીમાં 89, મહારાષ્ટ્રમાં 88, પ.બંગાળમાં 52 લોકોના મોત થયા છે. 22 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સંક્રમણનો દર, રાષ્ટ્રિય દર 1.46 ટકાથી ઘટ્યો છે. દેશમાં સંક્રમણના 4,53,956 એક્ટિવ કેસ છે જે સંક્રમણના અત્યાર સુધીના કુલ કેસના 4.83 ટકા છે.
दिल्ली स्वास्थ्य विभाग के अनुसार दिल्ली में 4,906 नए कोविड-19 मामले, 6,325 रिकवरी और 68 मौतें दर्ज़ की गई।
कुल मामले 5,66,648 हो गए हैं जिसमें 5,22,491 रिकवरी, 9,066 मौतें और 35,091 सक्रिय मामले शामिल हैं। pic.twitter.com/UBXzSj22e8
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે સવારે 8 વાગે દેશમાં કરોનાના 41810 નવા કેસ આવ્યા હોવાનું જણાવ્યું અને આ સાથે દેશમાં કુલ કેસની સંખ્યા 93,92,919 પહોંચી છે. આ સાથે 496 લોકોના મોત થયા છે. મંત્રાલયના અનુસાર રોજ કુલ કેસના 70.43 ટકા કેસ 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી, પ.બંગાળ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, હરિયાણા અને છત્તીસગઢમાં આવે છે. કેરળમાં 6250 કેસ, મહારાષ્ટ્રમાં 5965 કેસ અને દિલ્હીમાં 4998 નવા કેસ આવ્યા છે.
राज्य स्वास्थ्य विभाग के अनुसार महाराष्ट्र में पिछले 24 घंटों में 5,544 नए #COVID19 मामले, 4,362 रिकवरी / डिस्चार्ज और 85 मौतें दर्ज़ की गई।
कुल मामले 18,20,059 हो गए जिसमें 16,80,926 रिकवरी, 90,997 सक्रिय मामले और 47,071 मौतें शामिल हैं। pic.twitter.com/szo5Fl3756
શનિવારે એક વેબિનારમાં સામેલ થયેલા ICMRના પ્રમુખ પ્રોફેસર બલરામ ભાર્ગવે કહ્યું કે કોરોનાની વેક્સીન આવ્યા બાદ પણ માસ્ક પહેરવાનું જરૂરી રહેશે. તેઓએ કહ્યું કે માસ્ક એક પ્રકારની ફેબ્રિક વેક્સીન છે. કોરોના રોકવામાં તેને અવગણી શકાય નહીં. તેઓએ કહ્યું કે વેક્સીન પર કામ ચાલી રહ્યું છે. ભારતમાં 5 વેક્સીન પર ટ્રાયલ ચાલી રહ્યું છે જેમાંથી 2 વેક્સીન ભારતમાં તૈયાર થઈ રહી છે. તેઓએ કહ્યું કે વેક્સીન પૂરતી નથી. સુરક્ષા અને સ્વાસ્થ્ય સાથેની સાવધાનીઓનું પાલન પણ જરૂરી છે.