ફરી 24 કલાકમાં આવતા કેસ 2 લાખ તરફ આગળ વધતા જણાઈ રહ્યા છે. ગત એક દિવસમાં 1. 79 લાખ નવા કેસ આવ્યા.
24 કલાકમાં કોરોનાના 1, 79, 723 નવા મામલા આવ્યા
મહામારીએ 24 કલાકમાં146 દર્દીઓના જીવ લીધા
એક દિવસમાં 46,569 લોકો સાજા થયા
મહામારીએ 24 કલાકમાં146 દર્દીઓના જીવ લીધા
ભારતમાં ગત 24 કલાકમાં કોરોનાના 1, 79, 723 નવા મામલા આવ્યા છે અને 46,569 લોકો સાજા થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી આંકડા મુજબ આ મહામારીએ કાલે 146 દર્દીઓના જીવ લીધા છે. ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ એટલે કે આઈસીએમઆરના જણાવ્યાનુંસાર ભારતમાં કાલે કોરોનાના 13, 52, 717 સેમ્પલ લેવામાં આવ્યા. આની સાથે દેશમાં કાલ સુધી કુલ 69, 15, 75, 352 સેમ્પલના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
એક્ટિવ કેસની સંખ્યા 7, 23,619
કેન્દ્ર સરકાર તરફથી જારી આંકડા પર નજર નાંખીએ તો દેશમાં અત્યાર સુધીમાં કુલ મામલા 3,57,07,727 થઈ ચૂક્યા છે. હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 7, 23,619 છે. અત્યાર સુધી મહામારીના 3,45,00,172 લોકો સાજા થઈ ચૂક્યા છે. જો કે આ વાયરસે દેશમાં અત્યાર સુધીમાં 4,83,936 લોકોનો જીવ લીધો છે. ઉલ્લેખનીય છે કે કોરોનાને હરાવવા રસીકરણ પર ભાર મુકવામાં આવ્યો છે. આજથી 60થી વધારે ઉંમરના લોકોને બૂસ્ટર ડોઝ આપવાના શરુ કરવામા આવ્યા છે. અત્યાર સુધીમાં 1,51,94,05,951 કોરોનાના ડોઝ અપાઈ ચૂક્યા છે.
મહારાષ્ટ્રમાં સંક્રમણના 44, 388 નવા કેસ, 12 ના મોત
મહારાષ્ટ્રમાં રવિવારે કોરોના સંક્રમણના 44, 388 નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમિતોની કુલ સંખ્યા 69,20,044 થઈ. આ ઉપરાંત 12ના મોત થયા છે. જેની સાથે મરનારાની સંખ્યા 1, 41, 639 સુધી પહોંચી ગઈ છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે આ જાણકારી આપી. એક દિવસ પહેલા રાજ્યમાં કોરોનાના કેસ 41, 434 સામે આવ્યા હતા સાથે 13 ના મોત થયા હતા. સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે દિવસભરમાં 15, 351 લોકો સાજા થતા સાજા થનારાની સંખ્યા 65, 72, 432 થઈ ગઈ છે.
દિલ્હીમાં કોરોનાથી 17ના મોત, સંક્રમણના 22, 751 નવા મામલા સામે આવ્યા
દિલ્હીમાં કોરોનાથી 17ના મોચ થયા છે. ત્યારે સંક્રમણના 22, 751 નવા મામલા સામે આવ્યા. જ્યારે સંક્રમણ દર 23. 53 ટકા રહ્યો. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા રવિવારે જારી આંકડામાં આ જાણકારી આપવામાં આવી છે. રવિવારે ગત વર્ષ એક મે બાદથી કોઈ એક દિવસમાં સંક્રમણના સૌથી વધારે મામલા છે. એક મેએ સંક્રમણના 25, 219 મામલા સામે આવ્યા હતા અને સંક્રમણ દર 31. 61 ટકા રહ્યો હતો. સરકારી આકંડા અનુસાર કોરોનાના 1618 હોસ્પિટલમાં દાખલ છે. તેમાંથી 44 વેન્ટિલેટર પર છે.