કોરોના બાદ પ્રાણીઓથી માણસોમાં ચેપનો ફેલાવો અટકાવવા માટે ઘણા અભ્યાસ કરવામાં આવી રહ્યા છે. એક અભ્યાસમાં દાવો કરાયો છે કે આવનારા સમયમાં,પ્રાણીઓથી ફેલાતા વાયરસની ઓળખ કરવામાં આવશે.
કેવી રીતે ઓળખાશે પ્રાણીઓ વાળા વાયરસ
આટલા વાયરસો પકડમાં આવી શકે છે
વેક્સિનના વિકાસમાં મદદ મળશે
કેવી રીતે ઓળખાશે પ્રાણીઓ વાળા વાયરસ
દુનિયાભરમાં કહેર ઉઠાવવા વાળો કોરોના વાયરસ સિવાય માનવીને સંક્રમિત કરવા વાળા તમામ જાન લેવા વાયરસો પ્રાણીઓમાંથી આવ્યાં છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કેસ વાયરસની ઓળખ સમય રહેતા આર્ટિફિશિયસ ઈન્ટાલીજીન્સ દ્વારા કરવામાં આવી શકે છે
આટલા વાયરસો પકડમાં આવી શકે છે
ગ્લાસગો યુનિવર્સિટીના નાર્ડસ મોલેન્ત્ઝ, સિમોન બાબયન અને ડેનિયલ સ્ટ્રીકરના જણાવ્યા અનુસાર, યોગ્ય આનુવંશિક સામગ્રી સાથે, મશીન પ્રાણીઓમાં કયા વાયરસથી મનુષ્યોને ચેપ લાગશે તે શોધી શકે છે. એક અભ્યાસ મુજબ, લગભગ 10 લાખ 70 હજાર આવા વાઈરસને ઓળખી શકાય છે જે પ્રાણીઓમાંથી મનુષ્યમાં આવી શકે છે.
કોરોના વિશે સમયસર જાણી શક્યા હોત
એક રિપોર્ટ અનુસાર, 2019 માં, ચીનના વુહાનથી ફેલાયેલા કોરોનાને AI મશીન દ્વારા સમયસર ઓળખી શકાય છે. જો આવું થયું હોત તો એક પણ વ્યક્તિનું મૃત્યુ ન થયું હોત. વૈજ્ઞાનિકોએ કહ્યું કે, શું વાયરસ પ્રાણીઓ દ્વારા માત્ર એક જ જીનોમ ક્રમ સાથે મનુષ્યને ચેપ લગાવી શકે છે?" આ મોડેલ પર હજુ સંશોધન ચાલી રહ્યું છે.
વેક્સિનના વિકાસમાં મદદ મળશે
ગ્લાસગો યુનિવર્સિટીની ટીમે આ વર્ષની શરૂઆતમાં લિવરપૂલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો સાથે આ બાબતે સંશોધન કર્યું હતું.અમારા તારણો સૂચવે છે કે વાયરસની ઝૂનોટિક ક્ષમતાનો તેમના જીનોમ ક્રમથી મોટા પ્રમાણમાં અંદાજ લગાવી શકાય છે. જો મશીન દ્વારા દુર્લભ વાઈરસને ઓળખી કાઢવામાં આવે અને તેની નજીકથી દેખરેખ રાખવામાં આવે, તો પહેલાથી જ રસીના વિકાસ પર કામ થઈ શકે છે. જે વાયરસ ફેલાય તે પહેલા જ મનુષ્યોનું રક્ષણ કરવામાં મદદરૂપ થશે.