બ્રેકિંગ ન્યુઝ
VTV / Corona Hardships: Migrant Workers Are Returning Home On Their Feet As No Other Option Left After Lockdown
Last Updated: 02:48 PM, 18 May 2020
ADVERTISEMENT
સૌથી વધુ દયનીય સ્થિતિ તો દિલ્હી, બિહાર, રાજસ્થાન, યૂપી, હરિયાણાના મજૂરોની બની છે. હાલમાં એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક મજૂર પોતાની આપવીતી જણાવતા કહે છે કે હું મારી 7 મહિનાની દીકરીને લઈને નીકળ્યો છું અને હજુ તેને પોતાના વતન પહોંચવા 7 દિવસ ચાલવું પડે તેમ છે.
માલિકે કર્યું આવું વર્તન
ADVERTISEMENT
લૉકડાઉનની જાહેરાત થતાં જ માલિકોએ મજૂરોને પોતાના ઘરે જવા કહી દીધું છે. ઉલ્લેખનીય છે કે મજૂરનું ઘર બિહારમાં છે. તેની પાસે 1000 રૂપિયા જ છે. તેની નવી સેલેરી ક્યારે આવશે તેની તેને ખબર નથી. મુશ્કેલી એ પણ છે કે જવાનું કોઈ સાધન પણ નથી. આ સમયે તેઓ મજબૂર બન્યા છે.
3 મહિનાની દીકરી અને 58 વર્ષની માતા સાથે પગપાળા ચાલી રહ્યા છે મજૂરો
એક મજૂરે આપવીતી જણાવતાં કહ્યું કે હું 3 મહિનાની દીકરી અને 58 વર્ષની માતા સાથે બુધવારથી નીકળ્યો છું. મારા જેવા અનેક લોકો મને રસ્તામાં મળ્યા છે. પણ આશા છે કે ઘર સુધી પહોંચવાનો કોઈ રસ્તો તો મળી જ જશે. 1 દિવસમાં 50 કિમી સુધી આ મજૂરો ચાલી રહ્યા છે. કેટલાક સ્થાનિકો તેમને ફૂડ પેકેટ આપે છે અને દિવસ નીકળતા જાય છે.
ગુજરાતમાં પણ આવી જ છે સ્થિતિ
અમદાવાદમાં દૂરદૂર્શન ટાવર વાળા રોડ ઉપર, નિર્ણયનગર ગરનાળા પાસે, વસ્તાપુર ફૂટપાથ ઉપર, અને આવા તો કેટલાય જાહેર રોડ ઉપર રોજ સાયકલ કે લારી લઈને કમાવવા નીકળનારા અને પછી ફૂટપાથ ઉપર જ મીણીયુ બાંધીને છત બનાવી સુઈ જનારા લોકો કે જેમની પાસે કોઈ વતન જ નથી અને કોઈ ઘર જ નથી તેમની વ્યથા ઘણુ કહી જાય છે.
જેમને ઘર જ નથી એમનું શું?
જે લોકો બહારના રાજ્યમાંથી આવ્યા છે અથવા તો એક શહેરથી બીજા શહેર આવ્યા છે તેવા લોકોએ તો વતનની વાટ પકડી પણ જેમની પાસે ઘર જ નથી કોરોન્ટાઈન થવા માટે તેમનું શું? ભુખ તો તેમને પણ લાગે જ છેને? સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા કરોડોના પેકેજો કે હેલ્પલાઈન નંબરો આ રોડ ઉપર વસતા અને રોજ કમાઈને રોજ ખાતા સ્થાનીકો માટે કોઈ કામના નથી કારણ કે તેમને તે વાતની જાણ જ નથી.
કારખાનાઓ અને ધંધા બંધ હોવાને કારણે બેકાર બન્યા મજૂરો
દિલ્હી-એનસીઆર તરફથી આવા ઘણા રસ્તાઓ છે. જે ગામમાં પરત આવે છે. તેઓ મોટે ભાગે કારખાના અને કામ ધંધો કરનારા દૈનિક વેતન રળનારા મજૂર હોય છે. કારખાનાઓ અને ધંધા બંધ હોવાને કારણે તેઓ અચાનક બેકાર બની ગયા છે. તેમનું ગામમાં સ્થળાંતર પણ સરકાર માટે ચિંતાનો વિષય છે કારણ કે લોકડાઉનનો ઉદ્દેશ ધમકી હેઠળ આવ્યો છે જે લોકોની અવરજવરને અટકાવવાનો છે.
ખિસ્સામાં રૂપિયા પણ નહતા, ન જવાનું સાધન
એક ફેક્ટરીમાં કામ કરનારો મજૂર કહે છે કે જો તેને આનંદ વિહાર બસ ટર્મિનલથી કોઈ સાધન મળી શક્યું નહીં, તો તે 10 કલાક ચાલીને દાદરી ગયો. તેણે કહ્યું, 'હું ફેક્ટરીની નજીક ભાડા રૂમમાં રહું છું. હું સાંજના 3 વાગ્યે ચાલવાનું શરૂ કરું અને બપોરે 1 વાગ્યે દાદરી પહોંચ્યો. મારી પાસે ખોરાક છે, પણ પાણી નથી. હાઇવે ઉપર એક પણ દુકાન ખુલ્લી નથી. મારે ઘરે પહોંચવા માટે હજી 160 કિમી ચાલવું પડે તેમ છે.
મજૂરોની સરકારને ફરિયાદ
એક મજૂરે પોતાનો રોષ ઠાલવતાં કહ્યું કે સરકારે અમારા જેવા દૈનિક વેતન રળતા મજૂપરોનો વિચાર કરવો જોઈએ. તેઓએ અમને પહેલાં કહેવું જોઈએ જેખથથી અમે અમારી વ્યવસ્થા કરી શકીએ. અમારી પાસે હાલમાં એટલા રૂપિયા પણ નછી કે અમે મહિનાનું ભાડું આપીને એક રૂમમાં રહી શકીએ. અમે ચાલીને અમારા વતન જવા મજબૂર છીએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.