આરોગ્ય મંત્રાલયની બેઠક પૂર્ણ થઇ છે જેમાં કોરોનાને લઇને ચોક્કસ નિર્ણયો લેવામાં આવ્યાં છે
આરોગ્ય મંત્રાલયની બેઠક પૂર્ણ
કોરોનાનાં કેસોને લઇને ગાઇડલાઇન્સ જાહેર
કોવિડ-19 અનુરૂપ વ્યવહાર કરવા સૂચન
ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ એન્ડ વેક્સિન
ચીનમાં વધી રહેલા કેસો બાદ મોદી સરકાર પણ એક્શન મોડમાં આવી છે. કોરોનાને લઇને સ્વાસ્થ્ય મંત્રાલયની બેઠક મળી હતી જે પૂર્ણ થઇ છે. આ બેઠક બાદ ચોક્કસ નિર્ણયો લેવામાં આવ્યાં છે. આ બેઠકમાં વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટેન્સીંગનું પાલન કરવું જેવી બાબતોનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે.
स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय ने सभी राज्यों और केंद्र शासित प्रदेशों को आने वाले त्योहारों और नए साल के जश्न को ध्यान में रखते हुए 'टेस्ट-ट्रैक-ट्रीट एंड वैक्सीनेशन' और मास्क पहनने एवं सोशल डिस्टेंसिंग पर ध्यान केंद्रित करने का निर्देश दिया है। pic.twitter.com/vC7Rq8YRRh
તહેવારોમાં ખાસ સાવધાન રહેવું
તહેવારોમાં કોઇપણ કાર્યક્રમમાં કોરોના ગાઇડલાઇન્સનું પાલન કરવાનું રહેશે જેમાં કોઇપણ બિઝનેસ ઇવેન્ટમાં કે અન્ય કાર્યક્રમમાં ઓવર ક્રાઉડિંગને ટાળવાનું સાથે જ વેન્ટિલેશન વાળી જગ્યાઓ પસંદ કરવા જેવી બાબતો પર ઘ્યાન આપવાનું રહેશે.
સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને આપી ગાઇડલાઇન્સ
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આવનારા તહેવારોનાં દિવસો અને નવા વર્ષની ઊજવણમાં ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ એન્ડ વેક્સિન અને માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાનો આદેશ આપ્યો છે.
Today's meeting was conducted to discuss preparedness for COVID-19, as cases are increasing around the world. We have also assured him (Mansukh Mandaviya) to help the central govt in dealing with the pandemic: Jharkhand Health Min B Gupta on review meeting with state health min pic.twitter.com/Ei8LNoDlIk
ઝારખંડ સ્વાસ્થ્ય મંત્રીએ આપ્યું મીટિંગ અંગે નિવેદન
તેમણે કહ્યું કે આજની મીટિંગમાં કોવિડ-19 વિરૂદ્ધની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે અમે હેલ્થ મિનિસ્ટર મનસુખ માંડવિયાને કેન્દ્ર સરકારની મદદ કરવાની તૈયારી પણ બતાવી છે.
વીડિયો કોન્ફેરેન્સિંગ થકી થઇ મીટિંગ
મંત્રાલયે તમામ રાજ્યોને એલર્ટ મોકલી દીધેલ છે. સરકારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એડવાઇઝરી જાહેર કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે નવા કોવિડ પોઝિટિવનાં દર્દીઓનાં સેમ્પલ જીનોમ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવે જેથી ત્યાં આ સેમ્પલને જીનોમ સીક્વેન્સિંગ થઇ શકે.