રાજ્યમાં કોરોના સંક્રમણ નબળું પડતા સરકારનો નિર્ણય શાળાઓ શરૂ કરવાને લઈને વિચારણા શરૂ કરી છે.
કોરોના સંક્રમણ ઘટતા સરકારનો નિર્ણય
શાળાઓ ફરીથી શરૂ કરવા નિર્ણયો
ધો-6 થી 8ના વર્ગો શરૂ કરવા માટે વિચારણા
ગાંધીનગરના શિક્ષણવિભાગના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, ગુજરાતમાં શાળાઓ ફરીથી શરૂ કરવા માટે તબક્કાવાર નિર્ણયો લેવામાં આવશે.હવે રાજ્યમાં શાળાઓમાં ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ થશે.
ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ થશે
1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ થશે. અગાઉ ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ ક્લાસ શરૂ કરવા મંજૂરી અપાઇ છે. ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ કરવા માટે વિચારણા ચાલી રહી છે. કોરોના SOPનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે.