કોરોના વૈશ્વિક બિમારીમાં લોકોનું ઘરની બહાર નીકળવું પણ દુશ્વાર થઈ ચૂક્યું છે, હવે તહેવારો ઉપર પણ પ્રતિબંધ મૂકાઈ રહ્યા છે. આગામી સમયમાં ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર આવનાર છે, ત્યારે રાજકોટમાં ઉત્તરાયણના તહેવારને લઈને પોલીસ કમિશનરે અત્યારથી જાહેરનામું બહાર પાડીને લોકોને સાબદા દીધા છે.
રાજકોટ પોલીસ કમિશનર જાહેરનામું
ચાઈનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ
ઘાસચારાના વેચાણ પર પ્રતિબંધ
દિવાળી પહેલા લોકોએ ભારે ભીડ એકઠી કરતા કોરોનાએ માથુ ઉંચક્યું હતું. પરંતુ હવે રાજ્ય સરકાર અને તંત્ર કોરોનામાં કોઈ બેદરકારી રાખવા માંગતી નથી. હવે ઉત્તરાયણના તહેવાર પર પણ પ્રતિબંદ મૂકી દેવામાં આવ્યો છે.
શું કહે છે પોલીસ કમિશનર?
રાજકોટ પોલીસ દ્વારા મહિના અગાઉ જ ઉતરાયણના તહેવારને લઈને જાહેરનામુ બહાર પાડી દીધું છે. જે મુજબ, પતંગ ચગાવતી વખતે સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી રાખવાની ખાસ સૂચના અપાઈ છે. રાજકોટ પોલીસ કમિશનરના કહેવા અનુસાર, સોશિયલ ડિસ્ટન્સિંગ નહિ રાખો તો દંડાશો. ચાઈનીઝ દોરા, તુક્કલ વેચનાર-ખરીદનાર સામે કાર્યવાહી થશે. 18 ડિસેમ્બરથી તા.16જાન્યુઆરી સુધી આ જાહેરનામું લાગુ પડશે.
શું છે જાહેરનામામાં?
ચાઈનીઝ તુક્કલ અને દોરીના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
જાહેરમાં ઘાસચારાના વેચાણ ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
લોકોએ ઉત્તરાયણના દિવસે ધાબા પર લાઉડ સ્પીકર પણ વગાડી શકાશે નહીં.
લોકોએ ધાબા ઉપર પણ કોવિડ ગાઈડલાઈનના નિયમોનું પાલન કરવું પડશે.