અમદાવાદ શહેરમાં વિવિધ જગ્યાએ પુસ્તકો ભાડે મળી રહી છે, આ એવી જગ્યાઓ છે.જ્યાંથી કોરોના પહેલાના વર્ષોમાં મોટી સંખ્યામાં નવા પુસ્તકો ખરીદી રહ્યા હતા.
કોરોનાકાળથી ખોરવાયું બજેટ
પુસ્તકો ભાડેથી લેતા થયા વિધાર્થીઓ
એજ્યુકેશન સિસ્ટમ પર વ્યાપક અસર
કોરોનાએ તમામ લોકોના બજેટ પર મોટી અસર કરી છે અને ખાસ કરીને એજયુકેશન સિસ્ટમ તો સાવ બદલી જ નાંખી છે. એક સમય હતો કે શાળા- કોલેજ શરુ થતાની સાથે વિદ્યાર્થીઓ પ્રથમ દિવસે જ સિલેબસના તમામ પુસ્તકો નવા નકોર ખરીદી લેતા હતા. પરંતુ હવે વિદ્યાર્થીઓ ભાડે પુસ્તકો પર કામ ચલાવી રહ્યા છે.
અમદાવાદમાં ભાડેથી મળતા પુસ્તકો
કોરોનાના કપરા સમયમાં મોટા ભાગના લોકોની પરિસ્થિતિ ખરાબ થઈ, લાંબા સમય સુધી શિક્ષણ બંઘ રહ્યું અને પરીક્ષામાં પણ માસ પ્રમોશન મળ્યું. એટલુ જ નહીં 2022થી નવી શિક્ષણનિતી પણ લાગુ થવા જઈ રહી છે. ત્યારે આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કોલેજના વિદ્યાર્થીઓ હવે બુક્સ કે ગાઈડ ખરીદવાના બદલે ભાડે લેતા થયા છે..અમદાવાદ શહેરમાં વિવિધ જગ્યાએ પુસ્તકો ભાડે મળી રહી છે, આ એવી જગ્યાઓ છે.જ્યાંથી કોરોના પહેલાના વર્ષોમાં મોટી સંખ્યામાં નવા પુસ્તકો ખરીદી રહ્યા હતા.
એન્જિનિયરીંગનાં વિધાર્થીઓને નથી પરવડતા
ઘણા લોકોને હજૂ પણ સવાલ થતો હશે કે, વિદ્યાર્થીઓ પુસ્તકો ભાડે કેમ લઈ રહ્યા છે?.કારણકે, કોરોના કાળમાં વાલીઓનું બજેટ ખોરવાયું હતું. અને હાલમાં મોંઘવારી પણ ખુબ વધી ગઈ છે. તેવામાં એન્જિનિયરીંગ જેવા અભ્યાસ માટે મોંઘા પુસ્તકો વસાવવા દરેક વિદ્યાર્થીઓને પરવડતા નથી. આ સિવાય પણ કોઈપણ સમયે સિલેબસ બદલાવાનો ડર રહે છે.તેવામાં નવા પુસ્તકોની ખરીદી કરવાની જગ્યાએ વિદ્યાર્થીઓ પુસ્તકો ભાડે લેવાનું પસંદ કરી રહ્યા છે..
પુસ્તક જમા કરાવો,50 ટકા રકમ પરત
મહત્વનું છે કે, અમદાવાદમાં અલગ અલગ સ્થળે એવી અનેક પુસ્તકોની દુકાનો છે, જેઓ કોઈ પણ યુનિવર્સિટી કે સ્કૂલના સિલેબસના પુસ્તકો ભાડે આપે છે. અને વર્ષના અંતે વિદ્યાર્થી તે પુસ્તરો પરત જમા કરાવે એટલે તેમને 50 ટકા રકમ પરત આપવામાં આવે છે. જોકે દુકાનદાર આ પુસ્તકોની બીજા વિદ્યાર્થીઓને ભાડે આપીને પુસ્તકની કિંમત જેટલી કમાણી કરી લેતા હોય છે. પરંતુ આ વર્ષે તો તેમને પણ સિલેબસ બદલાઈ જાય તેનો ડર છે..