ભારતમાં કોરોના સંક્રમણની સ્પીડ સતત ધીમી પડતી જઈ રહી છે.
ગત 24 કલાકમાં 10,423 નવા મામલા
24 કલાકમાં 443 દર્દીના મોત થયા
દેશમાં કોરોનાના કુલ મામલા 3,42,96,237 થઈ ચૂક્યા છે
ગત 24 કલાકમાં 10,423 નવા મામલા
ભારતમાં કોરોના સંક્રમણની સ્પીડ સતત ધીમી પડતી જઈ રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી આંકડા મુજબ ગત 24 કલાકમાં 10,423 નવા મામલા સામે આવ્યા છે. આ સાથે જ 15, 021 દર્દી સ્વસ્થ થઈ ગયા છે. મોતના આંકડા પર નજર કરીએ તો 24 કલાકમાં 443 દર્દીના મોત થયા છે.
દેશમાં કોરોનાના કુલ મામલા 3,42,96,237 થઈ ચૂક્યા છે
કેન્દ્ર સરકાર દ્વારા જારી આંકડા મુજબ દેશમાં કોરોનાના કુલ મામલા 3,42,96,237 થઈ ચૂક્યા છે. સાથે એક્ટિવ કેસ 1,53,776 છે. જે 250 દિવસની સરખામણીમાં સૌથી ઓછા છે. સાજા થનારાની સંખ્યા 3,36,83,581 છે. આ સંક્રમણે અત્યાર સુધીમાં 4,58,880 લોકોના જીવ લીધા છે.
India reports 10,423 #COVID19 cases, 15,021 recoveries and 443 deaths in last 24 hours as per the Union Health Ministry
Case tally: 3,42,96,237
Active cases: 1,53,776 (lowest in 250 days)
Total recoveries: 3,36,83,581
Death toll: 4,58,880
ત્યારે ICMRએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 61 કરોડ 2 લાખ 10 હજાર 339 સેમ્પલની તપાસ થઈ ચૂકી છે. ત્યારે સોમવારે 10 લાખ 9 હજાર 45 સેમ્પલની તપાસ થઈ ચૂકી છે. રસીકરણની વાત કરીએ તો દેશમાં અત્યાર સુધી 1 અરબ 6 કરોડ 85 લાખ 71 હજાર 879 ડોઝ અપાઈ ચૂક્યા છે. જેમાંથી સોમવારે 52 લાખ 39 હજાર 444 ડોઝ અપાયા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે કહ્યું કે ભારતમાં કોરોના રસીકરણ માટે યોગ્ય વસ્તીના 78 ટકા ભાગમાં રસીનો પહેલો ડોઝ જ્યારે 38 ટકાને બન્ને ડોઝ ચાલી ચૂક્યા છે. તેમણે આને અયોગ્ય ઉપલબ્ધિ ગણાવતા કહ્યું કે ભારતમાં વાયરસની હરાવાના માર્ગ પર ઝડપથી આગળ વધી રહ્યા છીએ.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે સવારે 7 વાગે શેર કરેલા આંકડા મુજબ દેશમાં કોરોનાના અત્યાર સુધીમાં 106.31 કરોડથી વધારે ડોઝ અપાઈ ચૂક્યા છે. માંડિવાયએ ટ્વીટ કરી. એક અસાધારણ રાષ્ટ્ર માટે એક અસાધારણ ઉપલબ્ધિ. ભારતે રસીકરણ માટે યોગ્ય વસ્તીમાં 78 ટકાને કોરોનાનો પહેલો ડોઝ અને 38 ટકાને બીજો ડોઝ આપી દીધો છે. તમામને અભિનંદન આપણે કોરોનાને હરાવવાના માર્હ પર તેજીથી વધી રહ્યા છીએ.