દેશમા હવે કોરોનાના કેસ વધવા લાગ્યા છે. શુક્રવારે દેશમા કોરોનાના નવા 8,329 કેસ નોંધાતા નવી લહેરની શક્યતા જોવાઈ રહી છે.
જુનની શરુઆતમાં દેશમાં કોરોનાએ રફ્તાર પકડી
છેલ્લા ચોવીસ કલાકમાં 8,329 નવા કેસ
10 લોકોના મોત, 4216 લોકો સાજા થયા
છેલ્લા સાત દિવસમાં દેશમાં કોરોના દર્દીની સંખ્યામાં બમણો વધારો
ગઈકાલે નોંધાયા હતા 7,584
ભારતમાં હવે કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવી રહ્યો છે જે નવી લહેરનો સંકેત છે. જૂનના પહેલા અઠવાડિયામાં દેશમાં કોરોનાએ જોર પકડ્યું છે. દેશમાં આજે કોરોનાના 8,329 નવા કેસ નોંધાયા છે જે ગઈકાલે કરતા 10 ટકા વધારે છે.
Count of active COVID-19 cases in India has increased from 36,267 to 40,370: Union Health Ministry
છેલ્લા ચોવીસ કલાકમાં ભારતમાં કોરોનાથી 10 લોકોના મોત થયા છે અને 4216 લોકો સાજા થયા છે. કોરોનાથી મોત મામલે ભારતની સ્થિતિ સારી છે પરંતુ કેસમાં નિરંતર વધારો આવી રહ્યો છે જે ચિંતાનો વિષય છે.
#COVID19 | India reports 8,329 fresh cases, 4,216 recoveries, and 10 deaths in the last 24 hours.
દેશમાં કોરોનાની નવી લહેર શરુ થઈ હોવાની શક્યતા
દેશમાં જે રીતે દૈનિક કેસમાં વધારો આવી રહ્યો છે તે જોતા લાગી રહ્યું છે કે કોરોનાની નવી લહેર શરુ થઈ છે. છેલ્લા 7 દિવસનો ટ્રેન્ડ જુઓ તો દેશમાં કોરોનાના દર્દીઓ બમણા થઈ ગયા છે. 4 જૂને દેશમાં 4270 પોઝિટિવ આવ્યા હતા. શુક્રવારે, 8,263 નવા ચેપ મળી આવ્યા હતા, જે આ વર્ષે સૌથી વધુ કેસ છે. સાથે જ છેલ્લા 24 કલાકમાં 4200 દર્દીઓ સાજા થયા છે. જ્યારે 10 સંક્રમિત લોકોના મોત થયા હતા. આ પહેલા ગુરુવારે દેશમાં 7,584 દર્દીઓ મળ્યા હતા અને 24ના મોત થયા હતા.
દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે કોરોના કેસ
કોરોનાના નવા કેસોના મામલામાં મહારાષ્ટ્ર બીજા દિવસે પણ ટોપ પર રહ્યું, તો સાથે જ કેરળના દૈનિક કેસ પણ ડરાવનારા છે. અમને દરરોજ બે હજાર પોઝિટિવ મળે છે. આ સાથે જ કર્ણાટક સરકારે રાજ્યમાં માસ્ક ફરજિયાત કરી દીધા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોરોનાના શરૂઆતના દિવસોથી દેશમાં કુલ દર્દીઓની સંખ્યા 4 કરોડ 32 લાખથી વધુ થઈ ગઈ છે. સાથે જ 38.9 દર્દીઓની સારવાર ચાલી રહી છે. 5.24 લાખથી વધુ દર્દીઓના મોત થયા હતા.
કેરળમાં હજુ પણ 2000થી વધુ કેસ
મહારાષ્ટ્ર બાદ બીજો નંબર કેરળનો આવે છે, કેરળમાં દૈનિક ધોરણે 2 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 2415 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે, 1301 દર્દીઓ સાજા થયા છે અને 5 સંક્રમિત લોકોના મોત થયા છે. કેરળમાં પોઝિટિવિટી રેટ 13.19 ટકા છે, એટલે કે 100માંથી લગભગ 13 દર્દીઓ સંક્રમિત થઈ રહ્યા છે, જે અન્ય રાજ્યોની તુલનામાં ઘણો વધારે છે.
કર્ણાટકમાં માસ્ક ફરી જરૂરી
કર્ણાટકમાં સતત વધી રહેલા કોરોનાના કેસોને જોતા રાજ્ય સરકારે શુક્રવારે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. નવી ગાઈડલાઈન મુજબ મોલ, જાહેર કાર્યક્રમો, હોટલ, પબ, રેસ્ટોરન્ટ, શૈક્ષણિક કેન્દ્રો, કારખાના, ઓફિસ, હોસ્ટેલમાં ફેસ માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે. કર્ણાટકમાં કોરોનાના નવા કેસ 2% ને પાર કરી ગયા છે.