દેશમાં કોરોનાએ ફરી એક વાર પગ પેસાર કરવાનું શરૂ કર્યું છે. આ ચોથી લહેરના ભણકારા હોઈ શકે છે. કંઈ નહીં તો આ આંકડા તો ઈશારા કરી જ રહ્યા છે.
દેશમાં ફરી એક વાર કોરોનાનો પગપેસારો થયો
ચોથી લહેરના વાગી રહ્યા છે ભણકારા
10 દેશોમાં ચોથી લહેર આવી ગઈ
દેશમાં કોરોનાએ ફરી એક વાર પગ પેસાર કરવાનું શરૂ કર્યું છે. આ ચોથી લહેરના ભણકારા હોઈ શકે છે. કંઈ નહીં તો આ આંકડા તો ઈશારા કરી જ રહ્યા છે. ત્યારે આવા સમયે ફરી એક વાર સતર્ક રહેવાની જરૂર છે. મંગળવારે દુનિયામાં કોરોના સંક્રમિતોના આંકડા 50 કરોડને પાર થઈ ગયા છે. દુનિયાના 10 દેશોમાં ચોથી લહેરે દસ્તક આપી છે. તેમાંથી અમેરિકા, બ્રાઝિલ, જર્મની, ઓસ્ટ્રેલિયા, ઈટલી, રશિયા, ફ્રાંસ, જાપાન, થાઈલેન્ડ, દક્ષિણ કોરિયા અને ઓેસ્ટ્રિયા સામેલ છે.
હવે ભારતના આંકડા ડરાવી રહ્યા છે. છેલ્લા 28 દિવસની અંદર દેશમાં 5474 લોકોના મોત થયા છે. ત્યારે આ તમામની વચ્ચે 40 હજાર 866 લોકો સંક્રમિત થયા છે. જો કે, રાહતની વાત એ છે કે, આ ચાર અઠવાડીયાની અંદર સંક્રમણથી 58 હજાર 158 લોકો સાજા પણ થઈ ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશના 29 જિલ્લામાં કોરોના બેકાબૂ છે. એટલે કે, આ જિલ્લામાં પોઝિટિવિટી રેટ 5 ટકાથી વધારે છે.
કેરલના 14 જિલ્લામાં, મિઝોરમના સાત જિલ્લામાં હાલત ખરાબ
કેરલના 14 જિલ્લામં હાલત સૌથી વધારે ખરાબ છે. આ તમામ જિલ્લામાં 10 ટકાથી વધારે પોટિઝિવિટિ રેટ છે. એટલે કે, જો 100 લોકોની તપાસ કરવામાં આવે તો, તેમાંથી 10થી વધારે લોકો પોઝિટિવ આવે છે. આવી જ રીતે મિઝોરમના સાત જિલ્લામાં પોઝિટિવિટી રેટ 10 ટકાથી વધારે અને ત્રણ જિલ્લામાં 5 થી 10 ટકાની વચ્ચે પોઝિટિવિટી રેટ છે.
હરિયાણાના ગુરુગ્રામમાં પણ સ્થિતિ ચિંતાજનક છે અહીં પોઝિટિવિટી રેટ 5.81 ટકા છે. આ ઉપરાંત મણિપુર અને ઓડિશાના એક એક જિલ્લા એવા છે, જ્યાં પોઝિટિવિટી રેટ 5 ટકાથી વધારે છે. અરુણાચલ પ્રદેશના અપર સિયાંગમાં તો જેટલા લોકોના ટેસ્ટ કરવામાં આવે તે દરેક પોઝિટિવ મળી રહ્યા છે. હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિમાં 12.5 ટકાની ગતિએ કેસ મળી રહ્યા છે.
દેશમાં 11 એપ્રિલથી કોરોનાના 796 નવા કેસ આવ્યા, પણ ત્રણ રાજ્યોના આંકડામાં મોટા વધારો થયો છે. તેમાંથી ગુજરાત, દિલ્હી અને હરિયાણા શામેલ છે. ગુજરાતમાં રોજ આવતા નવા કેસમાં 42.4 ટકા, દિલ્હીમાં 34.9 ટકા અને હરિયાણામાં 18.11 ટકા કેસોનો વધારો થયો છે.
દાદરા નગર અને હવેલી, લક્ષદ્વિપમાં કોરોના ગ્રોથ શૂન્ય છે, જ્યારે અન્ય તમામ રાજ્યોમાં નેગેટિવ ગ્રોથ છે. મતલબ અહીં નવા દર્દીઓની સરખામણીમાં સાજા થનારા દર્દીઓની સંખ્યા વધારે છે. ટેસ્ટ પોઝિટિવિટી રેટ પર નજર કરીએ તો, તેમાં કેરલ, મણિપુર, દિલ્હી અને હરિયાણા આગલ છે. કેરલમાં સૌથી વધારે દર 100માંથી 2.3 ટકા પોઝિટિવ આવે છે. મણિપુરમાં 1.5 ટકા, દિલ્હીમાં 1.4 ટકા, હરિયાણામાં 1.1 ટકા. જ્યારે અન્ય તમામ રાજ્યોમાં આ શૂન્યથી નીચે છે.
વધતાં કેસની વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયે પાંચ રાજ્યો માટે ચેતવણી આપી દીધી છે. તેમાં દિલ્હી, હરિયાણા, કેરલ, મહારાષ્ટ્ર, મણિપુર અને મિઝોરમના નામ સામેલ છે. મંત્રાલયે આ રાજ્યોમાં સતર્કતા વધારવા માટે કહેવામા આવ્યું છે. સ્વાસ્થ્ય સચિવે કહ્યું કે, આ રાજ્યમાં ડેલી પોઝિટિવિટી રેટ વધી રહ્યું છે. એટલે કે, દરરોજ મળતા નવા કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેને જોઈને રાજ્ય સરકારોએ સ્થિતિની ગંભીરતા સમજીને સમીક્ષા કરે અને જરૂરી હોય તો, કોરોનાની નવી ગાઈડલાઈન પણ જાહેર કરે.
22થી 28 માર્ચમાં સૌથી વધારે મોત
સંક્રમણથી થનારા મોતના એનાલિસિસ કરવામા આવ્યું છે. ડેટા હેરાન કરનારા છે. 15થી 21 માર્ચ સુધી દેશમાં 471 લોકો સંક્રમણને કારણ જીવ ખોયો છે. પણ તેના આગામી અઠવાડીયે એટલે કે, 22થી 28 માર્ચની વચ્ચે મરનારા લોકોના આંકડા 4465 થઈ ગયા. 25 માર્ચે સૌથી વધારે 4100 મોત થઈ ગયા હતા.
સૌથી વધારે 4007 મોત મહામારાષ્ટ્ર અને 81 મોત કેરલમાં જોવા મળ્યા છે. મહારાષ્ટ્રના ડેટા સંશોધન કરતા જાણવા મળે છે કે, મરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. રાજ્ય સરકાર અહીં જૂના મોત સાથે તેને જોડીને જોઈ રહ્યા છે. આ સંખ્યાના કારણે આ અઠવાડીયે મરનારા આંકડા ખૂબ વધારે છે. ત્યાર બાદ 19 માર્ચથી 4 એપ્રિલની વચ્ચે 315 અને 5થી 11 એપ્રિલ વચ્ચે 223 મોત થયા.
દેશમાં અત્યાર સુધીમાં 4.30 કરોડ સંક્રમિત
દેશમાં અત્યાર સુધીમાં 4.30 કરોડ લોકો સંક્રમણની ચપેટમાં આવી ગયા છે. તેમાંથી 4.25 લોકો સાજા થઈ ચુક્યા છે. 10 હજાર દર્દીઓની હાલમાં સારવાર ચાલી રહી છે. તેમાંથી 5.21 લાખ દર્દીઓના મોત થઈ ચુક્યા છે.