બિહારમાં વિધાનસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન શરુ છે અને મતદાન વચ્ચે એક ઉમેદવારના મૃત્યુની જાણકારી સામે આવી છે અને આ મામલો રાજ્યના મધુબની સાથે સંબંધિત છે, જ્યાં બેનિપટ્ટી વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટણી લડી રહેલા નીરજકુમાર ઝાનું નિધન થયું છે.
બિહારમાં એક ઉમેદવારનું મોત
કોરોનાની સારવાર દરમિયાન થયું મોત
છેલ્લા 10 દિવસથી સંક્રમિત હતા
નોંધનીય છે કે બિહારની 243 સદસ્યોની વિધાનસભાની હાલમાં ચૂંટણી ચાલી રહી છે, અને ત્રીજા અને અંતિમ તબક્કાની ચૂંટણીનું મતદાન ચાલુ છે. જેની અંતર્ગત, 15 જિલ્લાના 78 વિધાનસભા મતક્ષેત્રોમાં લગભગ 2.34 કરોડ મતદાતાઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે અને 1204 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. આ ઉમેદવારોમાં હાલના વિધાનસભા અધ્યક્ષ અને રાજ્ય મંત્રીમંડળના 12 સભ્યો શામેલ છે.
૭૮ ક્ષેત્રોમાં છે મતદાન
ચૂંટણી પંચ દ્વારા પૂરા પાડવામાં આવેલા આંકડા મુજબ અત્યાર સુધીમાં ૭૮ મતવિસ્તારોમાં 2.૩૫ કરોડ મતદારોમાંથી, ૧.૨3 કરોડ પુરુષો, ૧.૧૨ કરોડ મહિલાઓ અને ૮૯૪ "ત્રીજી જાતિ" મતદાતાઓ છે. આ તબક્કામાં JDU ના 37, BJP ના 35, RJD ના 46 અને કોંગ્રેસના 25 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ભાગ્ય અજમાવી રહ્યા છે.
બિહારમાં વિધાનસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન વચ્ચે એક ઉમેદવારના મૃત્યુની જાણકારી સામે આવી છે. આ મામલો મધુબની સાથે સંબંધિત છે જ્યાં બેનિપટ્ટી વિધાનસભા મત વિસ્તારમાંથી અપક્ષ ઉમેદવાર નીરજ કુમાર ઝાનું મોત નીપજ્યું હતું.
ઉમેદવારનું કોરોનાથી મૃત્યુ
આ ઉમેદવારની મૃત્યુનું કારણ કોરોના વાયરસ છે. મળતી માહિતી મુજબ અપક્ષ ઉમેદવાર નીરજકુમાર ઝા છેલ્લા 10 દિવસથી કોરોનાથી પીડિત હતા અને તેમને સારવાર માટે પટણા AIIMS માં દાખલ કરાયા હતા. સારવાર દરમિયાન શનિવારે તેમનું મોત નીપજ્યું હતું.
તેને એક યોગાનુયોગ કહો કે તે જ દિવસે તેમના મૃત્યુના સમાચાર આવ્યા છે, તેમના મત વિસ્તાર એટલે કે મધુબાની જિલ્લામાં આવેલા બેનિપટ્ટી વિસ્તારમાં મતદાન ચાલી રહ્યું છે. આ બાબતે વિગતવાર માહિતીની રાહ જોવાઇ રહી છે. નોંધનીય છે કે આ પહેલા બે તબક્કાનું મતદાન અગાઉ જ યોજાઈ ચૂક્યું છે