રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ ઝડપથી બેકાબૂ થઈ રહ્યું છે. ત્યારે રાજ્યની નામાંકિત શૈક્ષણિક સંસ્થામાં ફરી એક વખત કોરોનાનો વિસ્ફોટ થયો છે.
IIM-અમદાવાદમાં કોરોના વિસ્ફોટ
એક સાથે 34 વિદ્યાર્થીઓ સંક્રમિત
સંક્રમણના પગલે અન્ય લોકોને IIMમાં પ્રવેશ પર પ્રતિબંધ
IIMમાં કોરોના વિસ્ફોટ
ગુજરાતમાં કોરોનાને કારણે સૌથી ગંભીર સ્થિતિ અમદાવાદની છે. તેવામાં અમદાવાદનું આઈઆઈએમ ફરીથી ચર્ચામાં આવ્યું છે. આજે IIMમાં કોરોના વિસ્ફોટ થયો છે. અને એક સાથે 34 વિદ્યાર્થીઓનો રિપોર્ટ કોરોના પોઝિટવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ IIMમાં એક સાથે 60 લોકોનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો હતો.
કેમ્પસમાં અત્યાર સુધી કોરોનાના 117 ટેસ્ટ કરાયા
IIM કેમ્પસમાં એક સાથે 34 વિદ્યાર્થીઓનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવતાં આરોગ્યતંત્રમાં હરકતમાં આવી ગયું હતું. અને કેમ્પસમાં તાત્કાલિક સેનેટાઈઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બાદમાં કેમ્પસમાં એક બાદ એક 117 વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. મહત્વની વાત છે કે ,જે વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તે લોકો અગાઉ વેક્સિનનો ડોઝ લીધો છે.