બ્રાઝીલ..... કે જેણે કોરોનાને ગંભીરતાથી લીધો જ નહી, જેના પરિણામ સ્વરૂપે દેશમાં 22,288 લોકોના મૃત્યુ થયા છે. બ્રાઝીલમાં કુલ 3,52,523 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. શરૂઆતમાં આ મહામારી માત્ર સાઉ પાઉલોના ઔદ્યોગિક રાજ્યોમાં જ હતી પરંતું હવે સમગ્ર દેશમાં આ મહામારી ફેલાઇ ગઇ છે. એમેઝોન રેઇનફોરેસ્ટનો વિસ્તાર પણ આ મહામારીથી બાકાત રહી શક્યો નથી. એમેઝોનના જંગલનો 60% વિસ્તાર બ્રાઝીલમાં ફેલાયેલો છે. હવે અહીંયા ખૂજ બ ઝડપથી ટેસ્ટ કરવાની બ્રાઝીલ સરકારને ફરજ પડી છે. જ્યાં સૂર્યના કિરણો નથી પહોંચતા ત્યાં સ્વાસ્થ્યકર્મીઓ કેવી રીતે કામ કરી રહ્યાં છે તે જુઓ આ અહેવાલમાં..
કોરોનાનું સંકટ એમેઝોન પર
જંગલોના આદિવાસીઓ પર કોરોનાનો કહેર
બ્રાઝીલના આદિવાસીઓમાં પહેલો કેસ એમેઝોનના જંગલમાં જ આવ્યો હતો. 1960માં વેનેઝુએલાની સીમા પાસે રહેવાવાળા યાનોમામી સમુદાયના લોકો વચ્ચે ખસરાના પ્રકોપથી 9% પ્રજાતિ મૃત્યુ પામી હતી. કોરોના વાઇરસથી બચવા માટે નાના નાના સમૂહમાં અને જંગલની અંદર જ રહેવાનું આ આદિવાસીઓએ નક્કી કર્યું છે. આ જ યોજના અપનાવીને પહેલા પણ પોતાની પ્રજાતિ પર આવેલી મહામારીઓથી પોતાનું રક્ષણ કર્યું હતું.
આ સમુદાય પાસે સંક્રમણથી બચવાના સંસાધનો ખૂબ જ ઓછા છે. આ સમુદાય પાસે હેન્ડ સેનેટાઇઝર કે સાબૂ કંઇ પણ નથી. આવી હાલતમાં કોઇ પણ મહામારી આ સમૂદાયમાં ફેલાય તો એમેઝોનના બધા જ આદિવાસીઓમાં સંક્રમણ ખૂબ જ સહેલાઇથી ફેલાઇ જાય છે. જેનાથી લાખોની સંખ્યામાં એમોઝોનના આદિવાસીઓ મોતને ભેટી શકે છે. આ આદિવાસીઓ એકબીજાની ખૂબ પાસે રહે છે તેમજ ખાન-પાનની વસ્તુઓ પણ એકબીજાને આપે છે.
એમેઝોનના જંગલ ધરતીના ફેફસા કહેવામાં આવે છે. મોટી સંખ્યામાં આ આદિવાસી એમેઝોનના જંગલમાં સદીઓથી વાસ કરે છે. એમેઝોન રેઇનફોરેસ્ટની આડેધડ કટિંગથી વૈજ્ઞાનિકો પણ પરેશાન છે કારણકે તેમને સંદેહ છે કે આ ઘટના પછી બીજી મહામારીઓ પણ પેદા થઇ શકે છે. ઇકોલોજીસ્ટ ડેવિડ લાપોલાએ શંકા વ્યક્ત કરી છે કે એમેઝોનના આ જંગલ નવો હોટસ્પોટ બની શકે છે.
તેમનું કહેવું છે કે આ આદિવાસીઓના શહેરીકરણથી નવી જીનેટિક બિમારીઓ ફેલાઇ શકે છે. જે બિમારીઓ જાનવરોમાંથી માણસોમાં ફેલાય છે. આ એક નવો કોરોના વાઇરસ પેદા કરી શકે છે. ગયા વર્ષે એમેઝોનના 85% જંગલ કાપી નાંખવામાં આવ્યા છે.