કોરોના વાયરસને કારણે દેશના અનેક સેક્ટરને અસર થઈ છે. જેમાં એજ્યુકેશન સેક્ટરને પણ ઘાતક અસર પડી છે. દેશભરમાં કેજીથી 12માં ધોરણ સુધીની 1 હજારથી વધારે સ્કુલો વેચાવા માટે તૈયાર છે. આવનારા 2-3 મહિનામાં તેને વેચીને લગભગ 75,00 કરોડ રુપિયાની રકમનું કલેક્શન કરી શકાય એવું બને.
સ્કુલો વેચી લગભગ 75,00 કરોડ રુપિયાની રકમનું કલેક્શન કરી શકાય એવું બને
1 હજારથી વધારે સ્કુલો વેચાવા માટે તૈયાર
એજ્યુકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની અગ્રણી કંપની સેરેસ્ટ્રી વેન્ચર્સ તરફથી એક્ઠા કરવામાં આવેલા આંકડા જણાવે છે કે વેચાણ માટે મુકવામાં આવેલી મોટા ભાગની સ્કૂલો વર્ષે 50 હજારની ફિ લેનારી છે. આ પ્રમાણે ભારતમાં લગભગ 80 ટકા વિદ્યાર્થીઓ આ જ ફી સ્લેબ વાળી સ્કૂલોમાં ભણે છે.
સેરેસ્ટ્રામાં પાર્ટનર વિશાલ ગોયલે કહ્યું કે એનેક રાજ્ય સરકારોએ ફી વસુલવાની સીમા નક્કી કરી છે. જ્યારે શિક્ષકોની સેલરી અને બીજા ખર્ચા થઈ રહ્યા છે. આ કારણે પ્રાઈવેટ સ્કૂલોની હાલત ખૂબ કથળી ગઈ છે. તેમણે કહ્યું કે એક મોટી સ્કુલની ચેનને પોતાના સ્ટાફની સેલરી 70 ટકા ઘટાડવી પડશે.
ગોયલે કહ્યું કે, ભવિષ્યમાં સ્થિતી કેવી હશે તેને લઈને ગૂંચ્ચમને કારણે આ સ્કુલોમાં ફંડિંગની આશા પણ નથી. આ કારણે આ સ્કૂલોની મુશ્કેલી વધી છે. ગોયલની કંપનીના 30-24 સ્કૂલો છે જેમને કેજીથી લઈને 12માં ધોરણ સુધીનો અભ્યાસ થાય છે. આ સ્કુલોમાં 1400 કરોડ રુપિયાના રોકાણની જરુર છે.
યૂરોકિડ્સ ઈન્ટરનેશનલના દેશમાં 30થી વધારે સ્કૂલ છે. આ સ્કૂલ ચેન આ વ્યવસાયમાંથી નિકળવાની ફિરાકમાં છે. લોએસ્ટ્રો અડવાઈઝર્સમાં પાર્ટનર રાકેશ ગુપ્તાએ જણાવ્યું કે કર્ણાટક, મહારાષ્ટ્ર અને તેલંગાણામાં લગભગ 20થી 25 સ્કુલો છે જેને વેચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કંપનીએ ગત વર્ષ સ્કૂલના સૌથી મોટી ભાગીદારીનો રસ્તો તૈયાર કર્યો છે. હવે હોંગકોંગની નોર્ડ એન્ગલિયા એજ્યુકેશને ભારતના ઓકરિજ ઈન્ટરનેશનલ સ્કૂલને ખરીદી લેવામાં આવી હતી. આ ચેન પાસે હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, બેંગલુરુ અને મોહાલીમાં સ્કુલો હતા જેને 1600 કરોડમાં વેચવામાં આવી હતી. હવે આને વેચવાનો સમય આવ્યો તો ખરીદનાર 30થી 40 ટકા ઓછે ભાવ આપવા તૈયાર થયા છે.