નવરાત્રી દિવાળીમાં પૂજામાં વપરાતા કપૂરના ભાવ આસમાને પહોંચ્યા છે. વાતાવરણને શુદ્ધ કરતા કપૂરની ડિમાન્ડ કોરોના કાળમાં વધી છે. જેના પગલે તેના ભાવમાં પણ વધારો થયો છે.
લોકડાઉન દરમિયાન ઘરે-ઘરે કપૂરનો વપરાશ વધ્યો
20 ટન જેટલું ઉત્પાદન કરતી હતી તે હવે 70-80 ટન કરે છે
કપૂરના ભાવમાં પણ બે ગણાથી વધારે વૃદ્ધિ
વાતાવરણને શુદ્ધ કરતા કપૂરની માંગ કોરોનાકાળમાં ઐતિહાસિક વધી છે તેના પગલે તેના ભાવમાં પણ બે ગણાથી વધારે વૃદ્ધિ થઇ છે. નવરાત્રિના તહેવારોમાં રોજીંદી આરતી અને યગ્નમાં પણ કપૂર હોમવામાં આવે છે તેથી માંગમાં મજબૂતી જોવા મળી રહી છે. ભાવમાં તીવ્ર વધારો થયો હોવા છતાં કપૂરની રિટેલ માંગ સારી જોવા મળી રહી છે.
લોકડાઉન દરમિયાન ઘરે-ઘરે કપૂરનો વપરાશ વધ્યો
કોરોના લોકડાઉન દરમિયાન ઘરે-ઘરે કપૂરનો વપરાશ તીવ્ર વધ્યો હતો કારણ કે કપૂર વાતાવરણને શુદ્ધ કરે છે. અગાઉ માત્ર ધાર્મિક હેતુ માટે ઉપયોગમાં લેવાતા કપૂરના વપરાશનો વ્યાપ વધવાથી માંગમાં અને ભાવમાં વધારો થયો છે.
20 ટન જેટલું ઉત્પાદન કરતી હતી તે હવે 70-80 ટન કરે
કપૂર બનાવવા માટે કેમ્ફર પાવડરનો ઉપયોગ થાય છે જે મુખ્યત્વે સાઉથ ઇસ્ટ એશિયાના દેશોથી આયાત કરવામાં આવે છે. અમદાવાદ આસપાસ કપૂરના ઉત્પાદન સાથે સંકળાયેલી કેટલીક કંપનીઓ છે. ચાંગોદરમાં આવેલી શ્રી સિદ્ધિ ફ્રેગરન્સ માર્ચ મહિના અગાઉ મહિને 20 ટન જેટલું ઉત્પાદન કરતી હતી તે હવે 70-80 ટન કરે છે.