કોરોના મહામારીને કારણે ચાલુ વર્ષે સરકારે નવરાત્રિના ગરબા પર પ્રતિબંધ મૂક્યો છે. એટલું જ નહીં દશેરા તેમજ દિવાળીના તહેવારો પણ લોકોએ ઘરમાં જ રહી પરિવાર સાથે ઉજવવા જણાવ્યું છે. તહેવારો પર લગાવવામાં આવેલી રોકને કારણે ફૂલના વેપારીઓને ભારે ફટકો પડ્યો છે.
ફૂલ ખરીદવાનું ટાળીને નકલી ફૂલો વધુ ઉપયોગમાં લે છે
ફૂલ બજારને પડેલી માઠી અસરે વેપારીઓને રડવાનો વખત આવ્યો
રૂ. ૪૦થી ૫૦માં વેચાતા હતા. તે હાર રૂ.૨૦માં વેચવા છતાં કોઇ ખરીદનાર નથી
જે ગુલાબ ગત નવરાત્રિમાં રૂ.૪૦૦એ કિલો વેચાતાં હતાં, તે ચાલુ વર્ષે રૂ.૧૦૦માં કિલો વેચાઈ રહ્યાં છે. નવરાત્રિમાં ગરબા બંધ હોવાથી ફૂલનાં વેપારને ૭૫ ટકા અસર પહોંચી છે. માર્કેટમાં ૨૫ ટકા જ ફૂલ આવે છે, તે પણ વેચાતાં ન હોવાથી ફેંકી દેવાં પડે તેવી પરિસ્થિતિ ઊભી થઇ છે.
રૂ. ૪૦થી ૫૦માં વેચાતા હતા. તે હાર રૂ.૨૦માં વેચવા છતાં કોઇ ખરીદનાર નથી
આ વખતે ફૂલ સસ્તાં હોવા છતાં કોઇ ખરીદતું નથી. નવરાત્રિમાં જે હાર રૂ. ૪૦થી ૫૦માં વેચાતા હતા. તે હાર રૂ.૨૦માં વેચવા છતાં કોઇ ખરીદનાર નથી. રૂા.૨૦ના ભાવનો હાર રૂા.૧૦માં વેચી રહ્યા છે. છતાં કોઇ ખરીદનાર નથી.
ફૂલ ખરીદવાનું ટાળીને નકલી ફૂલો વધુ ઉપયોગમાં લે છે
ઉલ્લેખનીય છે કે શહેરમાં ધોળકા, બાવળા તેમજ મધ્યપ્રદેશમાંથી ફૂલ આવે છે. સામાન્ય રીતે નવરાત્રિમાં ગરબાના ગ્રાઉન્ડ પર કે શેરી ગરબામાં સ્ટેજ શણગારવા માટે મોટાં પ્રમાણમાં ફૂલની માગ હોય છે. જોકે ગરબા ન હોવાથી ફૂલનો ઓર્ડર ચાલુ વર્ષે મળ્યો નથી. એટલું જ નહીં મંદિરમાં પણ ચાલુ વર્ષે ફૂલની માગ ઓછી છે. ઘેર માતાજીનું સ્થાપન કરીને નવરાત્રિમાં માંની આરાધના કરતા પરિવારો કોરોનાના ડરને કારણે બજારમાંથી ફૂલ ખરીદવાનું ટાળીને નકલી ફૂલો વધુ ઉપયોગમાં લે છે. તેથી ફૂલની ઘરાકી પણ બંધ છે.
ફૂલ બજારને પડેલી માઠી અસરે વેપારીઓને રડવાનો વખત આવ્યો
ગત વર્ષે ગલગોટાનો જથ્થાબંધ ભાવ એક કિલોના ૬૦ રૂપિયા હતા. જે ઘટીને આ વર્ષે અડધા ૩૦ રૂપિયા છે. ગુલાબનાં ફૂલનાે ભાવ ગત વર્ષે કિલોનાે ૩૫૦થી ૪૦૦ રૂપિયા હતાે. તે ભાવ આ વર્ષે ૧૦૦થી ૧૫૦ રૂપિયે કિલોમાં વેચાય છે. કોરોનાના કારણે ફૂલ બજારને પડેલી માઠી અસરે વેપારીઓને રડવાનો વખત આવ્યો છે.