કોરોના વાયરસને WHOએ મહામારી જાહેર કરી દીધી છે અને ચીનમાં હાહાકાર બાદ ઈટાલી અને અમેરિકામાં ત્રાટકેલી આ બરબાદીને પગલે ભારતમાં પણ 2 મોત થઈ ચૂક્યા છે. ત્યારે લોકો સાવધાની વર્તવાને પગલે સેનેટાઈઝર અને માસ્કનો વપરાશ કરી રહ્યા છે એવામાં કેટલાક વેપારીઓ નફાખોરીના ધોરણોને અમલી બનાવીને માસ્ક અને સેનેટાઈઝરના ભાવમાં વધારો કરી રહ્યા છે અથવા તો તેની અછત નિર્માણ કરી રહ્યા છે ત્યારે જો તમને પણ માસ્ક કે સેનેટાઈઝર ન મળે અથવા મોંઘા મળે તો તમે ફરિયાદ કરી શકો છો. આ માટે નંબર જાહેર કરવામાં આવ્યો છે.
કોરોનાને મહામારી જાહેર કરાતા લેવાયા પગલા
સેનેટાઈઝર અને માસ્ક માટે લેવાયો નિર્ણય
1800-11-400 ટોલ ફ્રી નંબર છે
ભારત સરકારે કોરના નામની મહામારીને પહોંચી વળવા માટે તમામ તૈયારીઓ બતાવી છે.
कोरोना #COVID19 वायरस के खतरे के बाद बाज़ार के रुझान को देखते हुए सरकार ने आवश्यक वस्तु अधिनियम1955 की अनुसूची में संशोधन कर 2, 3 प्लाई सर्जिकल फेस मास्क, एन95 मास्क और हैंड सेनेटाइजर को 30/6/2020 तक आवश्यक वस्तु घोषित कर दिया है। इससे इनकी उपलब्धता बढ़ेगी और कालाबाजारी रूकेगी।
જેને પગલે માસ્ક અને સેનેટાઈઝરને પણ એસેન્ટીઅલ કોમોડિટિ એક્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે હવે તેની કાળાબજારી કે તેના ભાવ નહીં વધારી શકાય, આ માટે ટોલફ્રી નંબર જાહેર કરાયો છે.
શું કહે છે સરકાર?
મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેયર્સ અને પબ્લિક ડિસ્ટ્રીબ્યૂશના જણાવ્યા મુજબ 2-લેયર, 3 લેયર સર્જિકલ માસ્ક અને N95 માસ્ક તેમજ સેનિટાઈઝરને આ હેઠળ સમાવી લેવામાં આવ્યા છે. જો કે તેમને કાયમી આ લિસ્ટમાં સ્થાન અપાશે કે નહીં તે હજુ નક્કી નથી થયું પણ કોરોના વાયરસની મહામારીને પગલે આ નિર્ણય લેવાયો છે.
જો માર્કેટમાં માસ્ક કે સેનેટાઈઝર ન મળે તો કરી શકો છો ફરિયાદ
આ નિર્ણય બાદ હવે જો બજારમાં માસ્કની અછત સર્જાય છે તો એક ગ્રાહક તરીકે તમે ફરિયાદ કરી શકો છો. તેના માટે તમારે નેશનલ કન્ઝ્યુમર નંબર પર ફરિયાદ કરવી પડશે, જેનો નંબર 1800-11-400 છે. દેશભરમાં માસ્કની માંગને જોતા સરકારે આ નિર્ણય લીધો છે. કેટલાક એવા મામલા પણ સામે આવ્યા છે કે, જેમાં માસ્કની માંગ વધતા લોકો વધારે કિંમત પર વેચી રહ્યા છે.