કોરોના મહામારીના કારણે આર્થિક વહેવારોની સાથે સાથે સામાજિક વ્યવહારો પર પણ અસર પડી છે. સોશિયલ ડિસ્ટન્સની જવાબદારી નાગરિકો પર છે ત્યારે ઉનાળાના સમયમાં યોજનારા લગ્ન સમારોહ કેન્સલ રાખવા પડ્યા છે અને આખી સામાજિક વ્યવસ્થા થંભી ગઈ છે. લોકડાઉનને લઇને માત્ર વડોદરામાં જ 5 હજાર જેટલા લગ્નો અને ધાર્મિક આયોજન બંધા રહ્યાં છે. જેના કારણે સામાજિક રીતે પણ મોટું નુકશાન થયું છે.
કોરોનાની મહામારી નડી
કર્મકાંડી બ્રાહ્મણોને નુકસાન
તમામ વિધિ બંધ હોવાથી મુશ્કેલી
કોરોનાની મહામારીએ આખા વિશ્વને ભરડામાં લીધું છે. લોકડાઉને જાણે કે લોકોની જીંદગીને થંભાવી દીધી છે ત્યારે આ લોકડાઉનની સહુથી મોટી અસર અખાત્રીજ પર યોજનારા વણજોયા મૂહુર્તના લગ્નો પર વધુ પડી છે. એકલા વડોદરામાં જ 5 હજાર જેટલા લગ્ન સમારંભો મૌખૂફ રહ્યા છે. વડોદરામાં એક અંદાજ પ્રમાણે 1500 જેટાલા કર્મકાંડી ભૂદેવો રહે છે જે સામાન્ય રીતે ઉનાળામાં 5 હજાર જેટલા લગ્નમાં પ્રસંગોમાં વિધિ કરાવતા હોય છે આ વખતે આ તમામ લગ્નો બંધ રહ્યાં છે.
આતો વાત થઇ માત્ર લગ્નોની પરંતુ લગ્નની સાથે સાથે નવચંડી યજ્ઞ, વાસ્તુ અને અન્ય ધર્મિક કાર્યક્રમો કોરોનાના કારણે બંધ રહ્યા છે. જેના કારણે કર્મકાંડી બ્રહ્મણો માટે મુશ્કેલીનો સમય આવ્યો છે. સાથે શહેરના પાર્ટી પ્લોટો, વીડિયો, મંડપ ડેકોરેશન અને રસોયાઓના પણ ઓર્ડરો કેન્સલ થયા છે. સાથે બેન્ડવાજા તેમજ ડીજેના પણ ઓર્ડરો બંધ રહ્યા છે. જેના કારણે કરોડો રૂપિયાનું બજારમાં ટર્નઓવર કરતા લગ્ન પ્રસંગો બંધ રહેતા આર્થિક બાબતે મોટો ફટકો પડ્યો છે.
સુરતમાં દંપતિએ માસ્ક પહેરીને કર્યા લગ્ન, સંબંધીઓએ ઓનલાઇન આપ્યા આશીર્વાદ
બીજી તરફ થોડા દિવસ અગાઉ સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે અનોખા લગ્ન યોજાયા હતા. લગ્નનું મુહૂર્ત સાચવવા માટે ઘરની અગાસી પર યુગલે લગ્ન કર્યા હતા. જો કે, દંપતિએ માસ્ક પહેરીને સોશિયલ ડિસ્ટન્સ પણ પાલન કર્યું હતું. માતા-પિતાની હાજરીમાં દંપતિએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. ત્યારે સંબંધીઓએ પણ ઓનલાઈન આર્શીવાદ આપ્યા હતા.