મહારાષ્ટ્રથી સતત ડેલ્ટા વેરિએન્ટના કેસ સામે આવી રહ્યા છે. નાસિકમાં શુક્રવારે 30 લોકો ડેલ્ટા વેરિએન્ટથી સંક્રમિત જોવા મળ્યા છે.
નાસિકમાં 30 લોકો ડેલ્ટા વેરિએન્ટથી સંક્રમિત
જીનોોમ સિક્વેન્સિંગ માટે પુણેની લેબમાં મોકલવામાં આવ્યા સેમ્પલ
કોરોના વાયરસ સંક્રમણથી મુક્ત થયો ભંડારા જિલ્લો
દેશના અમુક ભાગમાં કોરોના વાયરસના કેસો હાલ ઓછા આવી રહ્યા છે. પરંતુ મહારાષ્ટ્રથી સતત ડેલ્ટા વેરિએન્ટના કેસ સામે આવી રહ્યા છે. નાસિકમાં શુક્રવારે 30 લોકો ડેલ્ટા વેરિએન્ટથી સંક્રમિત જોવા મળ્યા છે. તેમાંથી 28 દર્દી ગ્રામીણ ક્ષેત્રમાંથી છે.
Maharashtra | 30 people have been infected with Delta variant in Nashik. 28 patients are from rural areas. We sent the samples to Pune for genome sequencing after which they were tested positive for Delta variant: Dr Kishore Shrinivas, Surgeon in Nashik district hospital (06.08) pic.twitter.com/h10FGpoHti
પુણેની લેબમાં ટેસ્ટ માટે મોકલી આપ્યા સેમ્પલ
નાસિક જિલ્લા હોસ્પિટલના સર્જન ડો. કિશોર શ્રીનિવાસે જણાવ્યું કે અમે તેના સેમ્પલને જીનોમ સિક્વેંસિંગ માટે પુણેની લેબમાં મોકલી દેવામાં આવ્યું છે અને આ લોકો ડેલ્ટા વેરિએન્ટથી સંક્રમિત હતા.
કોરોના વાયરસ સંક્રમણથી મુક્ત થયો ભંડારા જિલ્લો
ત્યાં મહારાષ્ટ્રનો ભંડારા જિલ્લા કોરોના વાયરસ સંક્રમણથી સંપૂર્ણ રીતે મુક્ત થઈ ગયું છે. જિલ્લામાં કોવિડ-19નો એક માત્ર દર્દી સાજો થયા બાદ શુક્રવારે હોસ્પિટલમાંથી તેને રજા આપી હતી. સ્થાનિક જિલ્લા પ્રસાશને જણાવ્યા અનુસાર પાછલા 24 કલાકમાં કોવિડ-19નો કોઈ પણ દર્દી સામેન નથી આવ્યો.