તાઇવાન ન્યૂઝના એક અહેવાલ મુજબ ચીનની બીજી સૌથી મોટી ટેક કંપની ટેન્સન્ટ દ્વારા શનિવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓમાં 24,589 લોકોના મોત થયા હોવાનું જણાવાયું છે. એટલું જ નહીં કોરોના વાયરસથી પ્રભાવિત લોકોની સંખ્યા 1,54,023 હોવાનું જણાવાયું છે.
શું ચીન કોરોના વાયરસના ચેપથી મૃત્યુ પામેલા લોકોનો ડેટા છુપાવી રહ્યું છે? એક ચીની કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાએ આ શંકા ઉભી કરી છે જેમાં તેણે આ સામ્યવાદી દેશમાં કોરોનાને કારણે 25,000 જેટલા મોત થયાનો દાવો કર્યો છે. જો કે એવું માનવામાં આવે છે કે કંપનીએ ભૂલથી આ સત્યનો પર્દાફાશ કર્યો છે જ્યારે સરકારના સત્તાવાર આંકડા કંઈક જુદું જ ચિત્ર બતાવી રહ્યા છે.
તાઇવાન ન્યૂઝના એક અહેવાલ મુજબ ચીનની બીજી સૌથી મોટી ટેક કંપની ટેન્સન્ટ દ્વારા શનિવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓમાં 24,589 લોકોના મોત થયા હોવાનું જણાવાયું છે. એટલું જ નહીં કોરોના વાયરસથી પ્રભાવિત લોકોની સંખ્યા 1,54,023 હોવાનું જણાવાયું છે.
આ આંકડા શનિવારે જાહેર કરવામાં આવ્યા હતા જેથી એવો અંદાજો લગાવાઈ રહ્યો છે કે મૃતાંક 4 દિવસમાં હજુ પણ વધ્યો હશે.
સોશિયલ મીડિયા ઉપર 25000નો આંકડો વાયરલ
જો કે થોડા જ સમયમાં કંપનીએ તેનું 'સિચ્યુએશન ટ્રેકર' પેજ સરકારે જાહેર કરેલા આંકડા અનુસાર અપડેટ કરી દીધું. જો કે ત્યાં સુધીમાં કંપનીના જૂના ડેટાનો સ્ક્રીનશોટ લેવાઈ ગયો હતો. હાલ આ આંકડો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એવું માનવામાં આવે છે કે ટેન્સેન્ટે સાચા આંકડા ભૂલથી જાહેર કરી દીધા પછી જ તેના પેજ પર બદલીને સત્તાવાર આંકડા પ્રકાશિત કરી દીધા. સત્તાવાર આંકડામાં કંપનીએ જણાવ્યું હતું કે 14,446 લોકો પ્રભાવિત થયા છે અને 304 લોકો મૃત્યુ પામ્યા છે.
અન્ય ઘણા સ્રોતો પર પણ સરકાર કરતા જુદી માહિતી
ટેન્સન્ટે જ માત્ર સરકારી ડેટાથી જુદો ડેટા જાહેર કર્યો નથી પરંતુ અન્ય ઘણા સ્રોતો પર પણ ચેપથી અસરગ્રસ્ત લોકોની સંખ્યા 79,808 બતાવાઈ રહી છે. સરકાર દ્વારા અપાયેલી સત્તાવાર માહિતી કરતા આ આંકડો ત્રણ ગણો વધારે છે.
મેડિકલ કંપનીઓ પર પણ ચીનનું દબાણ
ઘણા અહેવાલોમાં ચાઇનાની કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા કોરોના વાયરસથી થતાં મૃત્યુનાં આંકડા છુપાવવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે. આટલું જ નહીં, સરકાર તબીબી સેવાઓ પૂરી પાડતી સંસ્થાઓ ઉપર પણ કડક નિયંત્રણ મૂકી રહી છે જેથી તેઓ સાચી માહિતી ન આપે. એવું માનવામાં આવે છે કે ધંધા વ્યવસાય અને અર્થતંત્ર પર પ્રતિકૂળ અસર થવાના ડરને કારણે ચીને સાચી માહિતી વિશ્વ સુધી પહોંચતા અટકાવવાનું નક્કી કર્યું છે.