અમદાવાદ બાદ કોરોના વાયરસે સુરતમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા આંકડા છુપાયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. સરકારી ચોપડે આંકડા અને અસલ કોરનાથી મોત તેમજ કોરોનાના દર્દીના આંકડા અલગ છે.
છેલ્લા 5 દિવસમાં મનપાની યાદીમાં 38 લોકોના મૃત્યુ
રાજ્ય સરકારના આંકડામાં છેલ્લા 5 દિવસમાં 17નાં મૃત્યુ
સ્મશાનની યાદી અને મનપાના મૃત્યુઆંકમાં પણ ફેરફાર
સુરતમાં કોરોનાથી મૃત્યુના આંકડાને લઇને વિવાદ સર્જાયો છે. સ્મશાનની યાદી અને મનપાના મૃત્યુઆંકમાં પણ ફેરફાર છે. કોરોનાની ગાઇડલાઇન મુજબ સાડા ત્રણ મહિનામાં 625 દર્દીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. સ્મશાનની યાદી મુજબ 625 દર્દીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. જ્યારે મનપાની યાદીમાં કોરોનાથી મૃત્યુનો આંકડો 195નો છે. સુરત મનપાની યાદી અને સરકારની યાદીના આંકડાઓમાં તફાવત છે. સરકાર મૃત્યુઆંક છુપાવતી હોવાની લોકોમાં ચર્ચા જાગી છે. છેલ્લા 10 દિવસમાં જ 200 મૃતકોના અંતિમ સંસ્કાર કરાયા છે.
રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં વધુ 687 કેસ નોંધાયા છે, અને 18 દર્દીઓનાં મૃત્યુ થયા છે. જ્યારે એક જ દિવસમાં 340 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. એક દિવસમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો. અમદાવાદમાં સૌથી વધુ 195, સુરતમાં 190, વડોદરામાં 50 અને જૂનાગઢમાં 24 કેસ નોંધાયા છે.
આ ઉપરાંત જામનગરમાં 12, ખેડા અને સુરેન્દ્રનગરમાં 14-14, ભરૂચ, પંચમહાલમાં 13-13, ભાવનગર અને પાટણમાં 11-11 કેસ નોંધાયા છે. તો ગાંધીનગર અને આણંદમાં 9-9, રાજકોટ, વલસાડ અને નવસારીમાં 6-6 તેમજ મહેસાણા, સાબરકાંઠા અને કચ્છમાં 5-5 કેસ નોંધાયા છે.
આમ રાજ્યમાં કોરોના પોઝિટિવનો કુલ આંક 34 હજાર 686 થયો છે. જ્યારે મોતનો કુલ આંક 1,906 અને ડિસ્ચાર્જનો કુલ આંક 24,941 પર પહોંચ્યો છે. હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 7,839 છે, જેમાંથી 61 દર્દીઓ વેન્ટિલેટર પર જ્યારે 7,778 દર્દીઓની હાલત સ્થિર છે.
સળગતા સવાલ
સુરતમાં કોરોનાથી વાસ્તવિક રીતે કેટલા મોત થયા?
કોરોનાથી થતો મૃત્યુઆંક છૂપાવાઈ રહ્યો છે?
સાચુ કોણ, સરકાર કે સુરત મહાપાલિકા?
સરકાર અને SMCના આંકડામાં મોટો તફાવત કેમ?
સરકાર કે સુરત મહાપાલિકા કોણ સાચા આંકડા નથી આપતું?
શું અધિકારીઓ મહાપાલિકા અને સરકારને ખોટી માહિતી આપે છે?