કોરોના વાયરસથી બિમાર થયેલા દર્દીઓના ફેફસાને સૌથી વધારે નુકસાન પહોંચતુ હોય છે. ડૉક્ટરોએ આ વાતને લઇને ડર જતાવ્યો છે કે કોરોનાના ગંભીર દર્દીઓને વીક ફેફસા સાથે રહેવુ પડે છે પરંતુ એક સ્ટડી પ્રમાણે કોરોનાગ્રસ્ત દર્દીઓના ફેફસા જાતે જ સાજા થઇ જાય છે.
કોરોનાના દર્દીઓ માટે ખુશખબર
ફેફસા માટે નહી લેવી પડે અલગ દવા
જાતે જ સાજા થઇ જશે ફેફસા
બ્રિટીશ ટેલિગ્રાફના એક રિપોર્ટ અનુસાર, ત્રણ મહિનામાં કોરોના દર્દીના ફેફસા જાતે જ ફીટ થઇ જાય છે. આ સ્ટડી બાદ આશા જાગી છે કે કોરોનાગ્રસ્ત વ્યક્તિઓને ગંભીર તકલીફ સાથે નહી રહેવુ પડે.
ટ્રાયલ દરમિયાન કોરોનાથી બિમાર થનાર દર્દીઓ રિકવર થયા તેના 12 અઠવાડિયા બાદ ફેફસા ક્ષતિગ્રસ્ત ન રહ્યાં. આ પહેલી સ્ટડી છે જેમાં કોરોના દર્દીઓના ફેફસા સાજા થવાની વાત સામે આવી છે.
આ સ્ટડી દરમિયાન ઓસ્ટ્રેલિયામાં 86 દર્દીની તપાસ કરવામાં આવી. આ દર્દી 29 એપ્રિલથી 9 જૂન વચ્ચે હોસ્પિટલમાં દાખલ થયા હતા. આ જ દર્દીઓની 6 અને 12 અઠવાડિયા બાદ તપાસ કરવામાં આવી હતી. જેમાં તેમના ફેફસામાં કોઇ પણ પ્રકારની તકલીફ દેખાઇ નહોતી.
સ્ટડીમાં સામેલ લોકોની ઉંમર 61 વર્ષ હતી અને 65 ટકા પુરુષ હતા. અડધા લોકો પહેલા સ્મોકર રહી ચૂક્યા છે અને તેમાંથી 20 ટકા લોકોને ICUમાં ભરતી કરવા પડ્યા હતા.