કેન્દ્ર સરકારે દેશમાં કોરોનાનાં કેસોમાં ઘટાડો થતા જ Covid-19ને લગતા નિયમો હળવા કરી દીધાં છે. જો કે, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત રહેશે. પરંતુ હવે રોજના કેસ અને મોતની સંખ્યામાં વધારો થવા લાગ્યો છે.
છેલ્લાં ત્રણ દિવસમાં દેશમાં કોરોનાનાં રોજના કેસમાં 350નો વધારો
દેશમાં મૃત્યુઆંકમાં પણ આવ્યો મોટો ઉછાળો
દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 4,30,14,687 થઈ ગઈ
કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે 31 માર્ચથી કોરોનાને લઈને જાહેર કરાયેલા તમામ પ્રતિબંધોને નાબૂદ કર્યા છે. જો કે, માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે. પરંતુ દેશમાં છેલ્લાં કેટલાંક દિવસોના કોરોનાનાં આંકડાઓ પર જો નજર કરીએ તો દેશમાં ધીરે-ધીરે કોરોનાનાં કેસો વધી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે, છેલ્લાં ત્રણ દિવસમાં રોજના કેસમાં 350નો વધારો થયો છે.
તમને જણાવી દઇએ કે, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, 24 માર્ચે 1938 નવા કેસ નોંધાયા છે. તો 23મી માર્ચે 1778 નવા કેસ નોંધાયા હતાં. 21 માર્ચે સૌથી ઓછાં નવા કેસ નોંધાયા હતાં. આ દિવસે 1549 કેસની પુષ્ટિ થઈ હતી. તો 22મી માર્ચે નવા 1581 કેસો આવ્યાં હતાં જ્યારે 20 માર્ચે 1761 નવા કેસની પુષ્ટિ થઈ હતી.
મૃત્યુઆંક પણ વધ્યો
કોરોનાના નવા કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે એટલું જ નહીં પરંતુ મૃત્યુઆંકમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. તમને જણાવી દઈએ કે, 20 માર્ચે કોરોનાથી 127 દર્દીઓના મોત થયા હતાં. તો ત્યાર બાદ બે દિવસ સુધી દરરોજ 33-33 દર્દીઓના મોત થયાં છે. આ સાથે 23મી માર્ચે 62 લોકોનાં મોત નોંધાયા તો 24મી માર્ચે 67 દર્દીઓના મોત થયા હતાં.
India reports 1,938 fresh #COVID19 cases & 2,531 recoveries and 67 deaths, in the last 24 hours
Active case: 22,427 (0.05%)
Daily positivity rate: 0.29%
Total recoveries: 4,24,75,588
Death toll: 5,16,672 pic.twitter.com/hkoKVky685
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં એક દિવસમાં કોવિડ-19નાં નવા 1938 કેસ સામે આવ્યા બાદ દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 4,30,14,687 થઈ ગઈ છે. બીજી બાજુ સંક્રમણનાં કારણે વધુ 67 લોકોના મૃત્યુ બાદ મૃત્યુઆંક વધીને 5,16,672 થઈ ગયો છે. દેશમાં કોવિડ -19 માટે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 22,427 થઈ ગઈ છે.
કેરળમાં કોરોનાના નવા 702 કેસ
કેરળમાં બુધવારે કોરોના મહામારીનાં નવા 702 કેસ નોંધાયા છે અને આ સમયગાળા દરમિયાન બે દર્દીઓના મોત પણ નિપજ્યાં છે. આજે અહીં જાહેર કરાયેલા સત્તાવાર નિવેદન મુજબ, દેશમાં છેલ્લાં 24 કલાકમાં 23,238 લોકોના નમૂનાઓનું પરીક્ષણ કર્યા બાદ આજે નવા 702 કેસની પુષ્ટિ થઈ છે. દરમિયાન, રેકોર્ડના અભાવમાં આજે છ લોકોનાં મોત ઉમેરવામાં આવ્યાં છે. આ સાથે રાજ્યમાં મૃત્યુઆંક 67,476 પર પહોંચી ગયો છે.
માસ્ક પહેરવું, હાથને સેનેટાઇઝ કરવાની ગાઇડલાઇન 31 માર્ચ બાદ પણ ચાલુ જ રહેશે: સરકાર
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાના સંક્રમણના કેસોમાં તીવ્ર ઘટાડાના કારણે કોરોનાને અટકાવવા માટે લેવામાં આવેલાં તમામ પગલાંઓને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. પરંતુ કેન્દ્રએ એવી સ્પષ્ટતા પણ કરી હતી કે, માસ્કનો ઉપયોગ અને વારંવાર હાથને સેનિટાઇઝેશન કરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જેવી ગાઇડલાઇન તો શરૂ જ રહેશે. સાથે તમામ રાજ્યોને પોતાની મેળે નિર્ણય લેવાનો પણ આદેશ અપાયો છે.
કેન્દ્રએ રાજ્યોને પત્ર લખ્યો
તમામ રાજ્યોના મુખ્ય સચિવોને લખેલા પત્રમાં, કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ જણાવ્યું કે, માસ્કનો ઉપયોગ કરવો અને હાથને સેનેટાઇઝ કરતા રહેવું એ નિયમો તો રહેશે જ. ભલ્લાએ પત્રમાં જણાવ્યું હતું કે, છેલ્લાં 24 મહિનામાં, મહામારીના સંચાલનના વિવિધ પાસાંઓ જેમ કે નિદાન, સર્વેલન્સ, સંપર્ક ટ્રેસિંગ, સારવાર, વેક્સિનેશન, હોસ્પિટલનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ઘણી મહત્વપૂર્ણ ક્ષમતાઓ વિકસાવવામાં આવી છે. આ ઉપરાંત, હવે સામાન્ય લોકોમાં કોવિડના યોગ્ય વર્તન વિશે ઉચ્ચ સ્તરની જાગૃતિ છે તેમ પણ તેમણે ઉમેર્યું.
ભલ્લાએ કહ્યું કે, વર્તમાન ગાઇડલાઇન 31 માર્ચે પૂર્ણ થઇ ગયા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલય હવે કોઈ નવા આદેશ રજૂ નહીં કરે. કારણ કે, કેન્દ્ર સરકારે આ મામલે હવે રાજ્ય સરકારો પર છોડ્યું છે.