ગત 24 કલાકમાં 3.29 લાખ નવા મામલા સામે આવ્યા છે. ગત દિવસોની સરખામણીએ લગભગ 37 હજાર ઓછા છે.
24 કલાકમાં 3.29 લાખ નવા મામલા
ગત દિવસોની સરખામણીએ લગભગ 37 હજાર ઓછા આવ્યા
અત્યાર સુધીમાં 2, 50, 025 લોકોના મોત થયા
24 કલાકમાં 3.29 લાખ નવા મામલા
ભારતમાં કોરોનાનો કહેર યથાવત છે. જો કે રોજ સામે આવનારા નવા મામલામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત 24 કલાકમાં 3.29 લાખ નવા મામલા સામે આવ્યા છે. ગત દિવસોની સરખામણીએ લગભગ 37 હજાર ઓછા છે.
અત્યાર સુધીમાં 2, 50, 025 લોકોના મોત થયા
ઉલ્લેખનીય છે કે 3,29,379 દર્દીની સાથે ભારતમાં અત્યાર સુધી કુલ મામલા 2,29,91,927 થઈ ચૂક્યા છે. કોરોનાના નવા મામલામાં ઘટાડા ઉપરાંત એક્ટિવ કેસમાં ઘટાડો રાહત આપનારો છે. દેશમાં ગત 24 કલાકમાં 3, 55745 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 1, 90,21, 207 દર્દી સાજા થયા છે. આ ઉપરાંત અત્યાર સુધીના મોતના આંકડામાં ઘટાડો નોંધાયો છે. ગત 24 કલાકમાં 3877 દર્દીના જીવ ગયા છે. આ સાથે અત્યાર સુધીમાં 2, 50, 025 લોકોના મોત થયા છે.
મહારાષ્ટ્રમાં 30 માર્ચ બાદ સૌથી ઓછા કેસ
રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જારી આંકડા અનુસાર મહારાષ્ટ્રમાંસ સોમવારે કોરોના વાયરસના 37, 236 નવા મામલા સામે આવ્યા છે. જે બાદ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 51,38,973 થઈ ગઈ છે. હાલ રાજ્યમાં 5, 90,818 એક્ટિવ કેસ છે. જેમની સારવાર ચાલી રહી છે. 549 લોકોના મોત બાદ કુલ મોતનો આંકડો વધીને 76398 થઈ ગયો છે. અત્યાર સુધી કુલ સાજા થનારા દર્દીની વાત કરીએ તો આ સંખ્યા 44,69,425 થઈ ગઈ છે. ગત એક દિવસમાં 61, 607 લોકો સાજા થઈ ચૂક્યા છે.
ઝારખંડમાં પણ મોત અને કેસની સંખ્યા ઘટી
ઝારખંડમાં ગત 24 કલાકમાં કોરોના વાયરસથી થયેલા મોતની સંખ્યામાં રેકોર્ડ બ્રેક 31.2 ટકા ઘટાડો નોંધાયો છે. ગત દિવસ કુલ 141 મોત થયા છે. તેની સરખામણીએ કોરોનાના 24 કલાકમાં 97 લોકોના મોત થયા છે. સંક્રમિત થનારા લોકોની સંખ્યામાં લગભગ 32 ટકા ઘટાડો આવ્યો અને ગત 24 કલાકમાં કુલ 4169 લોકો સંક્રમિત થયાની માહિતી છે. જ્યારે આ પહેલા રવિવારે કુલ 6112 લોકોના કોરોના સંક્રમિત થવાનો રિપોર્ટ મળ્યો હતો.