ભારતમાં આજે સતત બીજા દિવસે કોરોનાના કેસ એક લાખથી ઓછા નોંધાયા છે જેના કારણે દેશવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. પણ મૃત્યુઆંક વધ્યો છે.
દેશમાં સતત બીજા દિવસે એક લાખથી ઓછા કેસ
ભારતમાં કોરોનાનો કહેર ખાસ્સો ઓછો થઈ ગયો હોય એવું લાગી રહ્યું છે. ગઈકાલે લગભગ એક મહિના પછી એક લાખથી પણ ઓછા કેસ નોંધાય હતા, અને આજે સતત બીજા દિવસે, કોરોનાના એક લાખથી ઓછા નવા કેસ નોંધાયા છે.
India reports 67,597 fresh #COVID19 cases, 1,80,456 recoveries and 1,188 deaths in the last 24 hours.
Active cases: 9,94,891 (2.35%)
Death toll: 5,02,874
Daily positivity rate: 5.02%
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 67,597 નવા કેસ સામે આવ્યા છે તો સામે 1188 સંક્રમિત લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે આના એક દિવસ પહેલા જ કોરોનાના 83 હજાર 876 નવા કેસ સામે આવ્યા હતા અને 896 લોકોએ જીવ ગુમાવ્યા હતા. સારી વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં એક લાખ 80 હજાર 456 લોકો કોરોનાથી સાજા થયા છે, એટલે કે એક લાખ 14 હજાર એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.
કુલ ચાર કરોડ લોકોનાં મોત
કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ ચાર કરોડ 23 લાખ 39 હજાર 611 લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 5 લાખ 4 હજાર 62 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 4 કરોડ 8 લાખ 40 હજાર લોકો સાજા પણ થયા છે. દેશમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 10 લાખથી ઓછી છે. કુલ 9 લાખ 94 હજાર 891 લોકો હજુ પણ કોરોના વાયરસથી સંક્રમિત છે, જેમની સારવાર ચાલી રહી છે.
વેકસીનેશનની સ્થિતિ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે 7 ફેબ્રુઆરી, 2022 સુધી દેશભરમાં કોરોના રસીના 170 કરોડ 21 લાખ 72 હજાર ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા દિવસે 55.78 લાખ રસી આપવામાં આવી હતી
કોરોનાના કુલ કેસ - ચાર કરોડ 23 લાખ 39 હજાર 611
કુલ ડિસ્ચાર્જ - 4 કરોડ 8 લાખ 40 હજાર 658
કુલ એક્ટિવ કેસ - 9 લાખ 94 હજાર 891
કુલ મૃત્યુ - 5 લાખ 4 હજાર 62
કુલ રસીકરણ - 170 કરોડ 21 લાખ 72 હજાર ડોઝ આપવામાં આવ્યા હતા
ICMR અનુસાર, અત્યાર સુધીમાં લગભગ 74.29 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે 13.46 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.