દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 1778 કેસો નોંધાયા છે જ્યારે 62 લોકોના મોત નિપજ્યાં છે. ગઈ કાલે કોરોનાના 1 હજાર 581 કેસ નોંધાયા હતાં. ત્યારે આજે કોરોનાનાં નવા કેસોમાં 11 ટકાનો વધારો થયો છે.
દેશમાં આજે કોરોનાના નવા કેસોમાં 11 ટકાનો વધારો
છેલ્લાં 24 કલાકમાં દેશમાં કોરોનાનાં 1778 નવા કેસ તો 62નાં મોત
દેશમાં આજે જીવલેણ કોરોના વાયરસના નવા કેસોમાં 11 ટકાનો વધારો નોંધાયો છે. છેલ્લાં 24 કલાકમાં દેશમાં કોરોનાનાં 1778 નવા કેસ નોંધાયા છે તો 62 લોકોના મોત થયા છે. ગઈ કાલે કોરોનાનાં 1 હજાર 581 કેસ નોંધાયા હતા અને 33 લોકોના મોત થયા હતાં. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 4 કરોડ 30 લાખ 12 હજાર 749 કેસ નોંધાયા છે. ત્યારે અહીં જોઇશું કે, દેશમાં કોરોનાની હાલની શું પરિસ્થિતિ છે....
COVID19 | India logs 1,778 new cases & 62 deaths in the last 24 hours; Active caseload stands at 23,087
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, ગઈ કાલે દેશમાં 2 હજાર 542 લોકો સાજા થયા હતાં ત્યાર બાદ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 23 હજાર 87 થઈ ગઈ છે. તો આ મહામારીના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5 લાખ 16 હજાર 605 થઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 4 કરોડ 24 લાખ 73 હજાર 57 લોકો સંક્રમણ મુક્ત થઈ ચૂક્યાં છે.
અત્યાર સુધીમાં 181 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યાં
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ, દેશમાં અત્યાર સુધીમાં એન્ટી-કોરોના રસીના 181 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યાં. ગઈ કાલે 30 લાખ 53 હજાર 897 ડોઝ આપવામાં આવ્યાં હતાં ત્યાર બાદ અત્યાર સુધીમાં રસીના 181 કરોડ 89 લાખ 15 હજાર 234 ડોઝ આપવામાં આવ્યાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં અનુસાર, આરોગ્ય કર્મચારીઓ, કોરોના યોદ્ધાઓ અને અન્ય રોગોથી પીડિત 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને 2 કરોડ (2,20,10,777) થી વધારે રસીઓ આપવામાં આવી. તમને જણાવી દઇએ કે, દેશમાં કોવિડ વિરોધી રસીકરણ અભિયાન 16 જાન્યુઆરી, 2021 થી શરૂ થયું હતું અને પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી. આ સાથે કોરોના યોદ્ધાઓ માટે રસીકરણ અભિયાન 2જી ફેબ્રુઆરીથી શરૂ થયું હતું.