હોળીનો તહેવાર પહેલા દેશમાં ફરી એકવાર કોરોનાનાં કેસોનો આંકડો વધ્યો છે. છેલ્લાં 24 કલાકમાં ઘણાં કેસો નોંધાયા છે.
હોળીનાં તહેવાર પહેલા કોરોના સંકટ
દેશમાં ફરી કોરોનાનાં કેસોમાં વધારો
24 કલાકમાં 324 મામલાઓની નોંધણી
દેશભરમાં 8 ફેબ્રુઆરીનાં હોળીનો તહેવાર ઊજવવા માટે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. પરંતુ તહેવાર પહેલા જ દેશ પર ફરી કોરોનાનો ભય સામે આવીને ઊભો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ અનુસાર છેલ્લાં એક અઠવાડિયામાં ત્રણ ઘણાં કોરોનાનાં કેસો નોંધાયા છે.
છેલ્લાં 24 કલાકમાં 300થી વધારે મામલા
છેલ્લાં 24 કલાકનાં આંકડાઓને જોઈએ તો દેશમાં કુલ 324 નવા મામલા નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર 22 ફેબ્રુઆરીનાં 95 મામલા નોંધાયા હતા જે બાદ કેસો વધી રહ્યાં છે. શુક્રવારે દરરોજ નોંધાતા કેસોની સંખ્યા 300 હતી જે આજે વધીને 324 થઈ છે. આ નવા મામલા બાદ દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને 2791 નોંધાયા છે.
કોરોનાથી મૃત્યુ પામનારાઓનો આંકડો 5 લાખ પાર
કોરોનાનાં વધી રહેલા આંકડાઓએ સરકાર અને લોકોની ચિંતા વધારી દીધી છે. થોડા દિવસો પહેલાં કોરોનાથી 3 લોકોનાં મોતનો મામલો પણ સામે આવ્યો હતો. આ મહામારીથી મૃત્યુ પામનારાઓનો આંકડો હવે વધીને 5 લાખ 30 હજાર થયો છે. શુક્રવારે મહારાષ્ટ્ર અને કેરળમાં કુલ 2 લોકોની મોત નોંધાયઈ છે.
Indian efforts during #Corona are appreciated worldwide.
A Stanford University report highly praised the Government's COVID vaccination campaign.