રાજ્યમાં કોરોનાના કેસ વધતા સરકારે મોટો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે 15 જાન્યુઆરીની રજાઓ રદ કરી દીધી છે. રાજ્ય સરકારના આવશ્યક સેવા સાથે સંકળાયેલા કર્મીઓને રજા નહી
સરકારે કેટલાક વિભાગની રજા કરી રદ્દ
15 જાન્યુ. આવશ્યક સેવા કાર્યરત રહેશે
વધતા સંક્રમણને લઈને લેવાયો નિર્ણય
રાજ્યમાં કોરોનાના કેસ વધતા સરકારે મોટો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે 15 જાન્યુઆરીની રજાઓ રદ કરી દીધી છે. રાજ્ય સરકારના આવશ્યક સેવા સાથે સંકળાયેલા કર્મીઓને રજા નહી મળે. જેમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની કચેરી, પંચાયતો, ગેસ, વીજ કનેક્શન સાથે સંકળાયેલા કર્મીઓ, અને પોલીસ, હોમગાર્ડ, નાગરિક સંરક્ષણ કચેરીઓ 15 જાન્યુઆરી કાર્યરત રહેશે. રાજ્ય સરકારે અ તમામ વિભાગના કર્મચારીઓની રજા રદ કરી છે
ગુજરાતની ત્રીજી લહેરની ઘાતક શરૂઆત થઇ ચૂકી છે. આજે 11 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાતા હડકંપ મચ્યો છે. આજે 24 કલાકમાં 11,176 કોરોનાના કેસ નોંધાયા છે, તો 5 દર્દીના મોત થયા છે. તો કોરોનાને માત આપીનો આજે કુલ 4285 દર્દી ડિસ્ચાર્જ થયા છે. હાલ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 50612 પહોંચી ગઇ છે. હાલ ગુજરાતમાં કુલ 64 દર્દીઓ વેન્ટિલેટર પર છે, બાકીના તમામ સ્ટેબલ છે. આજે ઓમિક્રોનનો એકપણ કેસ નોંધાયો નથી.
રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 3754 કેસ નોંધાયા છે. તો સુરતમાં 2933, વડોદરામાં 1047 અને રાજકોટમાં 553 કેસ નોંધાયા છે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સંક્રમિત
ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે તો બીજી તરફ મોટા ભાગના નેતાઓ કોરોના સંક્રમિત બન્યા છે ત્યારે રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહત્વું છે કે બુધવારે હર્ષ સંઘવીએ RT-PCRનો રિપોર્ટ કરાવ્યો હતો જો કે ગુરુવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હોમ આઈસોલેટ થયા છે સાથે જ તેમણે તેમના સંપર્કમાં આવલા તમામ લોકોને RT-PCRનો રિપોર્ટ કરવાની અપીલ કરી છે. અને સૌ કોઈને સાવચેત અને સલામત રહેવાનું જણાવ્યું છે.
પોલીસ વડા આશિષ ભાટિયા પણ કોરોના સંક્રમિત
ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયા પણ કોરોના સંક્રમિત થયા છે. તેમને કોરોનાના હળવા લક્ષણો આવતા હોમ આઇસોલેટ થયા છે.તેમજ તેમના સંપર્કમાં આવેલા લોકોએ કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી છે.જ્યારે તેમના સંપર્કમાં આવેલા પોલીસ અધિકારીઓએ આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો છે.ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જેમાં આ અગાઉ રાજ્યમાં પાંચ આઇએસએસ અધિકારી કોરોનાના સંક્રમિત થયા હતા, જેના પગલે 11 થી 13 જાન્યુઆરી સુધી યોજનારી વાઇબ્રન્ટ ગુજરાત સમીટ પણ મોકૂફ રાખવામાં આવી છે. તેમજ રાજ્યના કોરોના ગાઈડલાઇનના ફેરફાર કરવામાં આવ્યા હતા.
આટલા નેતાઓ કોરોના સંક્રમિત થયા છે
અક્ષય પટેલ, ધારાસભ્ય, કરજણ
અનિલ જોશીયારા, ધારાસભ્ય, ભીલોડા
કુંવરજી બાવળીયા, ધારાસભ્ય, જસદણ
પરસોત્તમ સાબરિયા, ધારાસભ્ય, ધ્રાંગધ્રા
યોગેશ પટેલ, ધારાસભ્ય, માંજલપુર
પ્રતાપ દૂધાત, ધારાસભ્ય, સાવરકુંડલા
શૈલેષ સોટ્ટા, ધારાસભ્ય, ડભોઈ
પિયુષ પટેલ, ધારાસભ્ય, નવસારી
ઝંખના પટેલ, ધારાસભ્ય, ચોર્યાસી
જીતુ ચૌધરી, મંત્રી
ભારતમાં કોરોનાના દૈનિક કેસમાં ઉછાળો
ભારતમાં કોરોનાના દૈનિક કેસમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. એક દિવસમાં દેશમાં કોરોનાના નવા 2 લાખ 47 હજાર 417 કેસ પોઝિટિવ આવ્યા છે. દેશમાં એક દિવસમાં કોરોનાથી 84 હજાર 479 દર્દી સ્વસ્થ થયા છે. એક દિવસમાં દેશમાં કોરોનાથી 379ના વ્યક્તિઓના મૃત્યુ નોંધાયા છે. ભારતમાં કોરોનાના હાલ એક્ટીવ કેસ 11 લાખ 17 હજાર 531 છે. ભારતમાં કુલ કેસ 3 કરોડ 63 લાખ 17 હજાર 927 નોંધાયા છે. ભારતમાં કોરોનાથી કુલ સ્વસ્થ દર્દીઓની સંખ્યા 3 કરોડ 47 લાખ 15 હજાર 15 પર પહોંચી છે. દેશમાં કોરોનાથી કુલ 4 લાખ 84 હજાર 757 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. ભારત હાલ પોઝિટિવિટી રેશિયો 13.11 ટકા થયો છે.