કોરોનાના કેસો દર સોમવારે ઓછા થવા પાછળનું કારણ ઓછી માત્રામાં કરવામાં આવેલા ટેસ્ટ છે. રવિવારે રજા હોવાથી ઓછા ટેસ્ટ થતા હોય છે.
રવિવારે ઓછી માત્રામાં કોરોનાના ટેસ્ટ કરાય છે
રવિવારે રજા હોવાથી ઓછા ટેસ્ટ થતા હોય છે.
હાલમાં દરરોજ ચાર લાખ કેસો આવી રહ્યાં છે
રવિવાર પછી સોમવાર અને મંગળવાર અને શુક્રવારે કોરોનોના કેસોમાં અચાનક ઉછાળો આવે છે.તેનું કારણ એ છે આ દિવસોમાં સૌથી વધારે ટેસ્ટ કરાતા હોય છે.
સોમવારે કેસો ઓછા થવાનું પાછળનું કારણ આ છે
હાલમાં દેશમાં અઢી હજાર કોરોનાની લેબ છે જ્યાં ટેસ્ટ કરાઈ રહ્યાં છે. કોરાના સંકટથી શરુઆતથી અત્યાર સુધી દેશમાં સતત લેબ્સની સંખ્યા વધી રહી છે. સરેરાશ રીતે જોઈએ તો ભારતમાં હાલની તારીખમાં 17 થી 19 લાલખ ટેસ્ટ દરરોજ થઈ રહ્યાં છે. સોમવારે ઓછા થવા પાછળનું કારણ ટેસ્ટ છે.
હકીકતમાં દેશના અલગ અલગ હિસ્સામાં મોટાભાગની સરકારી અને પ્રાઈવેટ લેબ રવિવારે બંધ રહે છે. રવિવારે ફક્ત કેટલીક પસંદગી પામેલી લેબ્સમાં કામ કરતી હોય છે આને કારણે રવિવારે ટેસ્ટ ઓછા થાય છે અને કેસોમાં ઘટાડો જોવા મળે છે.
સોમવારે અચાનક કેસોમાં ઉછાળો આવે છે.
હાલમાં દેશમાં સરેરાશ એક કરોડ ટેસ્ટ કરાઈ રહ્યાં છે જેમાં આરટી-પીસીઆર અને રેપિડ એન્ટિજન ટેસ્ટ બન્ને સામેલ છે. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવારે સૌથી વધારે ટેસ્ટ કરાય છે. જ્યારે વીકેન્ડમાં રજાને કારણે ઓછા ટેસ્ટ કરાય છે. ભારતમાં અત્યાર સુધી રોજના લગભગ ચાર લાખ કેસો આવી રહ્યાં છે.
દેશમાં કોરોનાના સંક્રમણમાં નજીવી રાહત મળી છે. એક દિવસમાં કોરોનાના નવા કેસ 4 લાખથી નીચે નોંધાયા છે. એક દિવસમાં દેશમાં કોરોનાના નવા કેસ 3 લાખ 66 હજાર 317
પહોંચ્યા છે તો સાથે એક દિવસમાં ભારતમાં કોરોનાથી રિકવર દર્દી 3 લાખ 53 હજાર 580 થયા છે. ભારતમાં કોરોનાથી એક દિવસનો મૃત્યુઆંક 3 હજાર 747 થયો છે. તો દેશમાં કોરોનાના એક્ટીવ કેસની સંખ્યા 37 લાખ 41 હજાર 368 સુધી પહોંચી છે. દેશમાં કોરોનાના કુલ કેસ 2 કરોડ 26 લાખ 62 હજાર 410 થઈ ચૂક્યા છે તો ભારતમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 1 કરોડ 86 લાખ 65 હજાર 266 થઈ છે. બીજી તરફ ભારતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 2 લાખ 46 હજાર 146 સુધી પહોંચી ગયો છે. કોરોનાના સંક્રમિત દરની વાત કરીએ તો તે 82.15 ટકા સુધી પહોંચી ચૂક્યો છે.
10 રાજ્યોમાં 71 ટકા નવા કેસ નોંધાયા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે કહ્યું કે 24 કલાકમાં આવેલા નવા કેસની સંખ્યામાં 71.15 ટકા મહારાષ્ટ્ર, કર્ણાટક, દિલ્હી સહિત 10 રાજ્યોના છે. અન્ય 10 રાજ્યોમાં કેરળ, તમિલનાડુ, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, પ. બંગાળ, રાજસ્થાન અને હરિયાણા છે. કુલ 30.22 કરોડ કેસની તપાસ થઈ છે અને દૈનિક સંક્રમણ રેટ 21.64 ટકાનો છે. 20 રાજ્યોમાં 10 લાખની આબાદીમાં મૃત્યુદર 176થઈ ઓછો છે. તો 16 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ રાષ્ટ્રિય સ્તરથી વધારે છે.