લાંબા સમય બાદ ફક્ત અમદાવાદમાં 28 નવા કેસ નોંધાતા હડકંપ, સુરત વડોદરા અને રાજકોટમાં પણ કોરોના કેસમાં મોટો ઉછાળો
ગુજરાતમાં કોરોના કેસમાં મોટો વધારો
આજે નવા 54 પોઝિટિવ કેસ નોંધાયા
આજે 16 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
દિવાળીનું વેકેશન પૂરું પણ નથી થયું અને ગુજરાતી પ્રવાસીઓ ગુજરાતમાં અને ગુજરાત બહાર મહાલી રહ્યા છે ત્યારે, કોરોનાની ત્રીજી લહેરની સાયરન ગુજરાતમાં વાગી રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા ૫૪ કેસ સામે આવ્યા છે. નાગરિકોમાં ભયનું લખલખું અને મહાનગર પાલિકાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે. જેમાં અડધો-અડધ કેસ અમદાવાદમાં જ છે. અમદાવાદ શહેરમાં 28 કેસ નોંધાય છે.
એક સપ્તાહના કોરોના કેસના આંકડા
તારીખ
કોરોના પોઝિટિવ
17 નવેમ્બર
54 કેસ
16 નવેમ્બર
35 કેસ
15 નવેમ્બર
29 કેસ
14 નવેમ્બર
30 કેસ
13 નવેમ્બર
37 કેસ
12 નવેમ્બર
21 કેસ
11 નવેમ્બર
40 કેસ
10 નવેમ્બર
42 કેસ
ગુજરાતમાં ધીમા પગલે કોરોના સંક્રમણ બિલ્લી પગે વધી રહ્યું છે ત્યારે, ચિતાની ઝડપે મહાનગર પાલિકાએ પોતાની આગળની ગતિવિધિઓ આરંભી દીધી છે. હજુ શિયાળો બરાબર જામ્યો પણ નથી ત્યાં કેસનો ઉછાળો આવતા,વહીવટી તંત્ર સાબદું બન્યું છે.એક માહિતી પ્રમાણે, હવે શહેરમાં ટેસ્ટીંગ વધારવા માટે સુચના અપાઈ ગઈ છે. અને અમદાવાદમાં ટેસ્ટીંગ ડોમની સ્ન્ક્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. ડોમ સાથે વેક્સીનેશન પ્રક્રિયામાં પણ ગતિ આદરવા સૂચનાઓ અપાઈ છે.
અમદાવાદમાં કોરોનાને લઇ ચિંતામાં વધારો
અમદાવાદ શહેરમાં 2 માઈક્રોકન્ટેનમેન્ટ ઝોન અમલી છે અને 17 નવેમ્બરે વધુ બે માઈક્રોકન્ટેનમેન્ટ ઝોનનો ઉમેરો કરવામાં આવ્યો છે. પોલિટેકનિક આંબાવાડી સામે આવેલા કર્મણ્ય ફ્લેટના 8 ઘરના 18 લોકોને અને નવરંગપુરામાં આવેલા તુલિપ સિટાડેલના 4,5 અને 6 નંબરના બ્લોકના 6 ઘરના 20 લોકોને માઈક્રોકન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે.
ગુજરાતના કુલ કેસમાંથી અડધા કેસ અમદાવાદમાં આવતા હવે હેલ્થ વિભાગની પણ સતર્કતા વધી છે. કોરોનાને લઈ RTPCR અને એન્ટીજન ટેસ્ટ વધારવામાં આવ્યા છે દરરોજ અંદાજે 7000 ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. જ્યાં કોરોનાના કેસ આવે છે. ત્યાં ટ્રેસિંગ કરી તાવ આવે તો ટેસ્ટ કરાવવા પણ જણાવવામાં આવે છે. દિવાળી પછી અંદાજે 42000 ટેસ્ટ કરવામાં આવ્યા છે.