દિવાળીના તહેવાર બાદ હવે કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, રાજ્યના મોટા શહેરમાં કોરોના ફરી માથું ઉચકતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે.
દિવાળી તહેવારો બાદ કોરોનાના કેસ વધ્યા
સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત વધારો
મોટા શહેરોમાં કોરોનાના કેસમાં વધારો
દિવાળીના તહેવાર બાદ જે રીતે કોરોના કેસ વધી રહ્યા છે તે જોતા લાગી રહ્યું છે કે રાજ્યમાં ફરી કોરોના માથું ઉચકી રહ્યું છે, તહેવારોની સિઝન બાદ રાજ્યના મોટા શહેરોમાં કોરોનાનું જોખમ વધી ગયુ છે.
સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત વધારો
સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. તહેવારો બાદ કોરોનાના કેસ વધી રહ્યાં છે. સૌરાષ્ટ્રમાં એક દિવસમાં નવા 8 કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં 2 અને જૂનાગઢ અને મોરબીમાં પણ 2-2 કેસ નોંધાયા છે જો કે 8 પોઝિટિવ કેસ સામે 13 દર્દીઓ સાજા થયા છે. તો રાજકોટ શહેરમાં કુલ 8 દર્દીઓ સારવાર હેઠળ છે.
સુરતમાં કોરોનાના કેસમાં વધારો ઘટાડો
સુરત શહેર જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો ઘટાડો થતો રહે છે. જોકે, કેસ 10ની નીચે રહેતા થોડી રાહત છે. ગત રોજ શહેર જિલ્લામાં 1 કેસનો વધારો થયો છે. તહેવારો બાદ સુરત મહાનગર પાલિકા દ્વારા ટેસ્ટિંગમાં વધારો કરવામાં આવ્યો છે. દિવાળી વેકેશનની મજા માણી બહારથી પરત શહેરમાં આવતા લોકોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. રેલવે સ્ટેશન, બસ ડેપો અને એરપોર્ટના એન્ટ્રી પોઇન્ટ પર ટેસ્ટિંગ શરૂ કરાયું. છેલ્લા 24 કલાકમાં 2400 લોકોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. તમામ લોકોના ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા. બહારથી આવતા લોકોના ટેસ્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહત અનુભવની છે.તહેવારોની રજાઓ પૂર્ણ થતાં કોરોના વેક્સિનેશનની કામગીરી પણ તેજ કરવામાં આવી છે. ઘરે ઘરે જઈને વેક્સિન આપવામાં આવી રહી છે.
રાજકોટમાં વધ્યા કોરોનાના કેસ
રાજકોટમાં દિવાળી બાદ કોરોના કેસમાં વધારો થયો છે છેલ્લા 3 દિવસમાં 8 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 8 નવેમ્બરે કોરોનાના 4 પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને 9 નવેમ્બરે કોરોનાના 2 પોઝિટિવ કેસ જ્યારે 10 નવેમ્બરે કોરોનાના 2 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. દિવાળી બાદ કોરોના કેસમાં ધીમે ધીમે વધારો થઇ રહ્ય છે જેને લઈ લોકોએ સાવચેતી રાખવાની અને નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી રહી છે.
તહેવારો બાદ કોરોનાના કેસ વધ્યા
વડોદરામાં તહેવારો બાદ કોરોનાના કેસ વધ્યા છે. 31 ઓક્ટોબરે 6 કેસ નોંધયા હતા અને 30 કેસ એક્ટીવ હતા. જ્યારે 10 દિવસ બાદ 4 કેસ પોઝિટિવ આવ્યા અને એક્ટીવ કેસ 53 થયા છે. એટલે કે 10 દિવસમાં 23 કોરોનાના એક્ટીવ કેસ વધ્યા છે. 1 નવેમ્બરે 1 દર્દી ઓક્સિજન પર હતા. જ્યારે આજે બે દર્દી ઓક્સિજન પર છે અને બે દર્દી વેન્ટીલેટર પર છે. વડોદરા બાદ હવે અમદાવાદમાં પણ કોરોના સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે. અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં ચાર ગણા કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે.
અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો
રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોના કેસમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 42 નવા કેસ નોંધાયા છે. જ્યારે 36 દર્દીઓ સાજા થયા છે. જેમાં અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના 16 કેસ સામે આવ્યા છે શહેરના પશ્ચિમ ઝોનમાં આવતા વિસ્તારમાં સૌથી વધુ કેસ નોંધાયા છે 16 કેસમાંથી 11 અને 13 વર્ષના બે બાળક પણ કોરોના પોઝિટિવ આવ્યા છે જો કે કોરોનાને કારણે રાજ્યમાં આજે કોરોનાથી એકપણ મોત નોંધાયું નથી.
એક જ દિવસમાં ચાર ગણા કેસ વધ્યા
નવેમ્બર મહિનાના 10 દિવસમાં જ શહેરમાં 52 કેસ નોંધાયા છે અને તેની સામે 23 લોકો સાજા થયા છે.કોરોનાના કેસમાં વધારો થતા મનપાનું આરોગ્ય વિભાગ પણ અલર્ટ થઇ ગયું છે. અમદાવાદમાં બહારથી આવતા લોકોનું ટ્રેસિંગ અને ટ્રાવેલ હીસ્ટ્રી તપાસવામાં આવશે તો દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસ વધવાની શક્યતાને લઇને ટેસ્ટિંગની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે.
કેસ વધતા મનપાનું આરોગ્ય વિભાગ અલર્ટ
20 સપ્ટેમ્બરે પહેલી અને બીજી લહેરના સૌથી ઓછા 8 કેસ નોંધાયા હતા. જ્યારે 14 જુલાઈએ 41 કેસ નોંધાયા હતા. ત્યાર બાદ 11 નવેમ્બરે 42 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 16 કેસ નોંધાયા છે. જ્યારે 3 શહેર અને 25 જિલ્લામાં એકપણ નવો કેસ નોંધાયો નથી. તેમજ રાજ્યનો રિક્વરી રેટ 98.75 ટકા પર સ્થિર રહ્યો છે. હાલ રાજ્યમાં 42 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 36 દર્દી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે મહત્વનું છે કે ચાર મહિના બાદ કોરોનાના સૌથી વધુ કેસ આવ્યા છે. જે જોતા લાગી રહ્યું છે કે ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાના નવા કેસ ડબલ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 26 હજાર 826ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.