કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે દિલ્હી, હરિયાણા, કેરળ, મહારાષ્ટ્ર અને મિઝોરમને કોરોનાના વધતા જતા કેસો બાદ સાવચેતી રાખવા સૂચના આપી છે.
ભારતના 5 રાજ્યોએ ફરી વધારી ચિંતા
કોરોનાના કેસમાં એકાએક આવ્યો ઉછાળો
આરોગ્યમંત્રાયલે વ્યક્ત કરી ચિંતા
સચિવ રાજેશ ભૂષણે રાજ્યોને લખેલા પત્રમાં કહ્યું છે કે ગયા અઠવાડિયે કોરોનાના કેસમાં વધારો ચિંતાનો વિષય છે, જો જરૂરી હોય તો જરૂરી પગલાં લો.
પાંચ રાજ્યોમાં વધી ચિંતા
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે કોવિડ-19ના કેસમાં વધારા પર ગયા અઠવાડિયે દિલ્હી, હરિયાણા, કેરળ, મહારાષ્ટ્ર અને મિઝોરમની રાજ્ય સરકારોને પત્ર લખ્યો હતો અને કડક દેખરેખ રાખવાની સૂચના આપી હતી. જો જરૂર પડે તો પગલાં લેવાનું પણ જણાવ્યું હતું.
ગુજરાતમાં પણ આજે કોરોનાના કેસમાં એકાએક નોંધાયો ઉછાળો
છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં કોરોના ના બરોબર થઈ ગયો છે. પણ ગત 24 કલાકમાં 20 કેસ સામે આવતા ફરી ચિંતા વધી ગઈ છે. તેમાં પણ સૌથી વધુ પાટનગર ગાંધીનગરમાં 15 જેટલા કેસ એક સામટા આવી ગયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 2 તો ગાંધીનગર જિલ્લામાં 2 અને ખેડામાં 1 કેસ નોંધાયો છે. આજે કુલ 7 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા 86 તો વેન્ટીલેટર પર 02 દર્દીઓ છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો ડર 99.10 ટકા થઈ ગયો છે.
15 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટીવ
ગુજરાત નેશનલ લો યુનિમાં એકસાથે 15 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટીવ આવતા હડકંપ મચ્યો છે. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને તાવના લક્ષણો દેખાતા ટેસ્ટ કરાયા હતા. હાલ 15 જેટલા વિધાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બધા જ પોઝિટિવ વિધાર્થીઓ હોમ ક્વોરન્ટાઇન કરાયા છે. હાલ આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ છે.
દેશમાં કોરોનાની સ્થિતિ
ઉલ્લેખનીય છે કે, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,109 નવા કેસ નોંધાયા છે. જે બાદ સંક્રમિતોની કુલ સંખ્યા 4,30,33,067 થઈ ગઈ છે. જ્યારે દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને 11,492 થઈ ગઈ છે.
આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર શુક્રવારે વધુ 43 કોરોના દર્દીઓના મોત થયા છે. જે બાદ કુલ મૃતકોની સંખ્યા 5,21,573 પર પહોંચી ગઈ છે. દેશમાં સંક્રમિત દર ઘટીને 0.03 ટકા પર આવી ગયો છે જ્યારે રિકવરી રેટ વધીને 98.76 ટકા થઈ ગયો છે.