દેશમાં Omicron ના કારણે દહેશતનો માહોલ છે. કોરોના કેસ દિનપ્રતિદિન વધી રહ્યા છે અને એવા સમયે આજે કેસ સંખ્યામાં 44% વધારો થઈ ગયો છે.
એક દિવસમાં કોરોના કેસની સંખ્યામાં 44.6 ટકાનો વધારો
દેશમાં ઓમિક્રોનના કુલ 781 કેસ
દિલ્હીમાં DDMAના પગલાં
ગઇકાલની સંખ્યા કરતાં 44.6 ટકા વધારે
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 9,195 કોરોનાનાં નવા કેસ આવ્યા હતા. જે ગઇકાલની સંખ્યા કરતાં 44.6 ટકા વધારે છે. વેકસીનેશન અભિયાન અંતર્ગત આજ સુધીમાં 143.15 કરોડ લોકો વેક્સિનના ડોઝ લઈ ચૂક્યા છે. ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા હાલ 77,002 છે અને રિકવરી રેટ 98.40 % છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 7,347 દર્દીઓ રિકવર થયા હતા. જેની સંખ્યા વધીને 3,42,51,292 થઈ ગઈ છે. અમે છેલ્લા 24 કલાકમાં 302 દરીઓના મોત થયા હતા. જે સંખ્યા વધીને હવે 4,80,592 થઈ ગઈ છે.
દેશમાં ઓમિક્રોનના કુલ 781 કેસ
કોરોનાનાં નવા વેરિયન્ટ ઓમીક્રોન હવે માથાનો દુખાવો બન્યો છે. હવે દેશના 21 રાજ્યોમાં કોરોનાનાં ઓમીક્રોન વેરિયન્ટના કેસ નોંધાઈ ચૂક્યા છે. દિલ્હીમાં ઓમીક્રનનાં સૌથી વધુ 238 કેસ નોંધાયા છે અને મહારાષ્ટ્રમાં 167 કેસ નોંધાયા છે.
781 Omicron cases in India so far. 9,195 new COVID19 cases reported in the last 24 hours, active caseload at 77,002 pic.twitter.com/T856yGqZ0k
દિલ્હીમાં DDMA એટલે કે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા વધતાં કેસોને પગલે અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ નિણર્ય બાદ દિલ્હીમાં મંગળવારે સ્કૂલ કોલેજ, સિનેમા અને જિમ તરત બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સાથે દુકાનો, સરકારી પરિવહન સહિત અનેક્ પ્રતિબંધો પણ લગાવવામાં આવ્યા હતા.
ઉત્તરપ્રદેશને કોરોના અસરગ્રસ્ત રાજ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ફેબ્રુઆરીમાં ઉત્તરપ્રદેશમાં કોરોનાનાં કેસના કારણે ત્રીજી લહેરની સંભાવના છે એવું કારણ આપવામાં આવ્યું હતું.
એક્ટિવ કેસની સંખ્યા
છેલ્લા 24 કલાકમાં ઉત્તરપ્રદેશમાં કોરોનાનાં 80 નવા કેસ આવ્યા હતા અને તેના કારણે હવે ઉત્તરપ્રદેશમાં એક્ટિવ કેસની સંખ્યા 392 થઈ ગઈ છે. સામે ગુજરાત રાજ્યમાં કોરોનાના 394 કેસ નોંધાયા હતા. અને એક્ટિવ કેસની સંખ્યા 1420 છે
સામે ગુજરાત રાજ્યમાં કોરોનાના 394 કેસ નોંધાયા હતા. અને એક્ટિવ કેસની સંખ્યા 1420 છે. તો પણ ગુજરાતને કોરોના પ્રભાવિત રાજ્ય જાહેર કરવામાં નથી આવ્યું. જેના કારણે ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગ સામે કેટલાક પ્રશ્નો ઊભા થાય એવી સંભાવના છે. ગુજરાતનાં 1420 દર્દીઓ પૈકી 16 દર્દીઓ વેન્ટિલેટર પર રખાયા છે એટલે કે ગંભીર સ્થિતિનો સામનો કરી રહ્યા છે.