ભારતમાં કોરોના વાયરસનો વધતા ગ્રાફનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે ગત 24 કલાકમાં કોરોનાના દર્દીની સંખ્યામાં 14 હજારની નજીક પહોંચી ગયો છે. કોરોનાના દર્દીઓની સંખ્યાએ 27 દિવસ બાદ આ અંકને આંબવાનો પ્રયાસ કર્યો છે. મહારાષ્ટ્ર, પંજાબ અને મધ્ય પ્રદેશમાં ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યા છે. ભારતમાં શુક્રવારે કોરોનાના 13, 993 મામલા દાખલ કરવામાં આવેલા ગત 27 દિવસોથી સૌથી વધારે છે. આ દરમિયાન 101 લોકોને જીવ ગુમાવવો પડ્યો છે.
અહીં 6, 112 નવા મામલા સામે આવ્યા
મહારાષ્ટ્રની વાત કરીએ તો શુક્રવારે રાજ્યમાં કોરોનાના 6, 112 નવા મામલા સામે આવ્યા છે. આ દરમિયાન જ્યાં 2,159 દર્દીઓ સાજા થયા છે. ત્યારે 44ના મોત થયા છે. અત્યાર સુધીમાં 20 લાખ 87 હજાર 632 લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. જેમાં 19 લાખ 89 હજાર 963 લોકો સાજા થઈ ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં એકલા 51, 713 લોકોએ કોરોનાના ચાલતા પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજ્યના અલગ અલગ હોસ્પિટલોમાં પણ 44 હજાર 765 દર્દીઓની સારવાર ચાલી રહી છે.
મધ્ય પ્રદેશમાં કુલ કોરોનાગ્રસ્તની સંખ્યા 258871 થઈ ગઈ
મધ્ય પ્રદેશમાં શુક્રવારે કોરોના વાયરસ સંક્રમણના 297 નવા મામલા સામે આવ્યા અને આની સાથે પ્રદેશમાં આ વાયરસથી અત્યાર સુધી સંક્રમિત જોવા મળેલા લોકોની કુલ સંખ્યા 258871 થઈ ગઈ છે. રાજ્યમાં ગત 24 કલાકમાં આ બિમારીથી વધુ 2 લોકોન મોત થયા છે. જેનાથી મરનારાની સંખ્યા 3846 થઈ ગઈ છે. મધ્ય પ્રદેશ સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે રાજ્યના 52 જિલ્લામાંથી 20 જિલ્લામાં શુક્રવારે કોરોના વાયરસ સંક્રમણનો એક પણ નવો કેસ નથી આવ્યો. તેમણે કહ્યું કે રાજ્યમાં શુક્રવારે કોવિડ 19થી 126 નવા મામલે ઈન્દોરમાં સામે આવ્યા છે. જ્યારે ભોપાલમાં 68 નવા મામવા આવ્યા છે.
છત્તીશગઢમાં કોરોના સંક્રમણના 259 નવા કેસ
છત્તીસગઢમાં ગત 24 કલાક દરમિયાન કોરોના વાયરસ સંક્રમણના 259 નવા મામલા સામે આવ્યા છે. રાજ્યમાં આ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 3,10469 થઈ ગઈ છે. રાજ્યમાં શુક્રવારે 32 લોકો કોરોના મુક્ત થયા છે. નવા 3 દર્દીઓના મોત થયા છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યાનુંસાર ગત 24 કલાકમાં 259 નવા કેસ સામે આવ્યા છે. જેમાં રાયપુર જિલ્લાથી 87, દર્ગથી 49 , રાજનાંદગાંમથી 11 , બાલોદથી 4, બેમેતરાથી 1, કબીરધામથી 1, ઘમતરીથી 6, બલૌદાબજારથી 5, મહાસમુંદથી 8, ગરિયાબંદથી 5, બિલાસપુરથી 11 , રાયગઢથી 14, કોરબાથી 3, જાંજગીર ચાંપાથી 2, ગોરેલા પેન્ડ્રા મરવાહીથી 1, સરગુજાથી 9, કોરિયાથી 17, સૂરજપુરથી 5, જશપુરથી 9, બસ્તરથી 7, દંતવાડાથી 1, કાંકેરથી 2 તથા નારાયણપુરથી 1 દર્દી સામેલ છે.