દેશભરમાં કોરોના વાયરસને લઈને હાહાકાર મચ્યો છે ત્યારે હવે ભારતમાં કોરોનાના નવા કેસની સંખ્યા ઘટી રહી છે. છેલ્લા 9 દિવસથી કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સાથે જ બાળકોમાં પણ કોરોનાને લઈને થયેલા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે તેમની ઈમ્યૂન સિસ્ટમમાં પ્રાકૃતિક રૂપે એવા ગુણ છે જે કોરોનાને શરીરમાં પ્રવેશતાં જ તેને નષ્ટ કરવા લાગે છે.
દેશમાં ઘટી રહ્યો છે કોરોના
ભારતમાં 9 દિવસથી ઘટી રહ્યા છે કોરોના કેસ
બાળકોના સંક્રમણને લઈને આવ્યા ગુડ ન્યૂઝ
ભારત માટે કોરોનાને લઈને સારા સમાચાર
દેશમાં કોરોનાની વાત કરીએ તો 24 રાજ્યોમાં નવા કેસ કરતા સ્વસ્થ થનારા દર્દીની સંખ્યા વધી રહી છે. આ જાણકારી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે આપી છે. ઉલ્લેખનીય છે કે 24 રાજ્યોમાં એક દિવસમાં નોંધાયેલા કોરોનાના કેસ કરતા રિકવર દર્દી વધી રહ્યા છે. દેશમાં એક દિવસમાં 88 હજાર 759 કેસ નોંધાયા છે અને સાથે જ ભારતમાં એક દિવસમાં 92 હજાર 359 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. દેશમાં કોરોનાના એક્ટીવ કેસ 9 લાખ 56 હજાર 511 છે તો ભારતમાં કોરોનાના કુલ કેસ 59 લાખ 90 હજાર 581 પહોચ્યા છે. ગઈકાલે દેશમાં એક દિવસમાં 1 હજાર 124ના મૃત્યુ થયા છે.
24 राज्यों/केंद्र शासित प्रदेशों में कल कोरोना वायरस के नए मामलों से ज़्यादा रिकवरी हुईं: स्वास्थ्य और परिवार कल्याण मंत्रालय #COVID19
भारत में पिछले 24 घंटे में कोरोना वायरस के 88,600 नए मामले सामने आए और 1,124 मौतें हुईं।
देश में #COVID19 पॉजिटिव मामलों की कुल संख्या 59,92,533 है जिसमें 9,56,402 सक्रिय मामले, 49,41,628 ठीक/डिस्चार्ज/विस्थापित मामले, 94,503 मौतें शामिल हैं: स्वास्थ्य और परिवार कल्याण मंत्रालय pic.twitter.com/cXnm6Z8neT
કોરોનાને લઇ રિસર્ચમાં બાળકોને લઈને થયો સૌથી મોટો દાવો
કોરોના વાયરસના કહેર વચ્ચે રાહતના સામાચાર મળી રહ્યા છે. એક રિસર્ચમાં દાવો કરાયો છે કે બાળકોની ઈમ્યૂન સિસ્ટમમાં પ્રાકૃતિકરૂપે એવા ગુણ છે જે કોરોનાને શરીરમાં પ્રવેશતાં જ નષ્ટ કરવા લાગે છે. આ કારણે બાળકો કોરોનાને સરળતાથી હરાવી દે છે. સાયન્સ ટ્રાન્સલેશનલ મેડિસિનમાં પ્રકાશિત રિસર્ચમાં જણાવાયું છે કે બાળકોની ઈમ્યૂન સિસ્ટમમાં પ્રાકૃતિકરૂપે એવા ગુણ છે જે કોરોનાને શરીરમાં પ્રવેશતાં જ તેને નષ્ટ કરવા લાગે છે. એટલે કે વાઈરસ શરીરને વધારે નુકસાન પહોંચાડે તે પહેલાં જ તેને ખતમ કરી દે છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈન કોલેજ ઓફ મેડિસિનના પીડિયાટ્રિક ઈન્ફેક્શિયસ ડિસીઝ એક્સપર્ટ ડૉ. બેટસી હેરાલ્ડે કહ્યું કે બાળકોની ઈમ્યૂન સિસ્ટમ કોરોના સામે અલગ પ્રકારે લડે છે. બાળકો વયસ્કોની તુલનાએ વધુ અલગ અલગ પ્રકારના વાઈરસના સંપર્કમાં આવે છે એટલા માટે તેમની ઈમ્યૂન સિસ્ટમ વધારે મજબૂત હોય છે. વયની સાથે સાથે આ તાકાત પણ ઘટતી જાય છે. હાર્વર્ડ ટીએચ ચેન સ્કૂલ ઓફ ઈપિડીમિયોલોજીના પીડિયાટ્રિક ઈમ્યૂનોલોજિસ્ટ ડૉ. માઈકલ મિના કહે છે કે વયસ્ક સામાન્ય રીતે પહેલીવાર કોઈ નવા વાઈરસના સંપર્કમાં ઓછા આવે છે એટલા માટે આ રિસર્ચનો આધાર મજબૂત કહી શકાય.
ગુજરાતમાં આવી છે કોરોનાની સ્થિતિ
गुजरात में आज 1,417 नए #COVID19 मामले, 1, 419 रिकवरी और 13 मौतें दर्ज की गई। राज्य में कुल मामलों की संख्या अब 1,31,808 है, जिसमें 16,490 सक्रिय मामले, 1,11,909 डिस्चार्ज और 3,409 मौतें शामिल हैं : राज्य स्वास्थ्य विभाग pic.twitter.com/9JLcvoHov1
રાજ્યમાં કોરોના કહેર યથાવત રહેતો જોવા મળી રહ્યો છે ત્યારે તંત્રની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 1,31,808 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 1417 પોઝિટિવ કેસ નોંધાયા છે તો ગઈકાલે 1419 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં દર્દીઓ સાજા થવાનો દર 84.90 ટકા પહોંચ્યો છે. અત્યાર સુધી 1,11,909 દર્દીઓ સાજા થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. અત્યારની સ્થિતિની વાત કરીએ તો ગુજરાતમાં 16,490 કોરોના દર્દીઓ સારવાર હેઠળ હોવાનું નોંધાયું છે. આ સાથે જ અત્યાર સુધી કોરોનાથી કુલ 3409 દર્દીઓના મૃત્યુ થયા છે. તો રાજ્યમાં અત્યાર સુધી કુલ 41,72,051 ટેસ્ટ કરવામાં આવ્યા છે. કુલ 6,09,071 લોકોને ક્વોરન્ટાઇન કરાઈ ચૂક્યા છે. તો 392 વ્યક્તિઓને ફેસિલિટિ ક્વોરન્ટાઇન કરીને સારવાર આપવામાં આવી રહી છે. કોરોનાને કાબૂમાં લેવા માટે અનેક પ્રકારના શક્ય પ્રયાસો સરકાર કરી રહી છે.