કોરોના વાયરસના વધતાં કેસ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે કે મોટા શહેરોમાં જ્યાં સૌથી પહેલા વાયરસ ફાટ્યો હતો ત્યાં કેસ ફરીથી ઘટી રહ્યા છે.
દેશમાં કોરોનાના કહેર વચ્ચે રાહતના સમાચાર
દેશમાં પાંચ મહાનગરોમાં સંક્રમણની ગતિ ઘટી
દિલ્લીમાં 11,486, મુંબઇમાં 3568 કેસ નોંધાયા
કલકત્તામાં 1375, બેંગાલુરુમાં 17,266 અને ચેન્નઇમાં 6452 કેસ
દેશમાં કોરોના સંકટ વચ્ચે રાહતના સમાચાર મળી રહ્યાં છે. દેશમાં પાંચ મોટા મહાનગરોમાં કોરોના સંક્રમણની ગતિમાં ઘટાડો નોંધાયો છે. એક દિવસમાં દિલ્લીમાં 11 હજાર 486, મુંબઇમાં 3568, કોલકત્તામાં 1375, બેંગાલુરુમાં 17 હજાર 266 અને ચેન્નઇમાં 6452 કેસ નોંધાયા છે. મુંબઇમાં કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઇકાલે મુંબઇમાં કોરોનાના 3568 કેસ નોંધાયા છે. જ્યારે 10 લોકોના મૃત્યુ થયા હતા અને સંક્રમણ દર 7.15 ટકા પર પહોંચ્યો છે. મુંબઇમાં સૌથી વધુ કેસ 7 જાન્યુઆરીના આવ્યા હતા. 7 જાન્યુઆરીએ શહેરમાં 20 હજાર 971 કેસ નોંધાયા હતા તો કોલકત્તામાં પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. ગઇકાલે કોલકત્તામાં કોરોનાના 1375 કેસ નોંધાયા છે. જે આ વર્ષમાં સૌથી ઓછા છે, કોલકત્તામાં બે દિવસ પહેલા 2000થી વધારે કેસ નોંધાતા હતા. પશ્ચિમ બંગાળમાં પણ બે દિવસથી કોરોનાના કેસ 10 હજારથી નીચે નોંધાઇ રહ્યાં છે, સંક્રમણ દર ઘટીને 12.58 ટકા થઇ ગયો છે.
મહાનગરોમાં કોરોના સંક્રમણની ગતિ ઘટી
દેશમાં પાંચ મહાનગરોમાં સંક્રમણની ગતિ ઘટી
મુંબઇ અને કોલકત્તામાં સૌથી મોટી રાહત
દિલ્લીમાં 11,486, મુંબઇમાં 3568 કેસ નોંધાયા
કલકત્તામાં 1375, બેંગાલુરુમાં 17,266 અને ચેન્નઇમાં 6452 કેસ
મુંબઇમાં કોરોના સંક્રમણનો દર ઘટીને 7.15 ટકાએ પહોંચ્યો
મુંબઇમાં 7 જાન્યુઆરીએ સૌથી વધુ કેસ નોંધાયા હતા
7 જાન્યુઆરીએ મુંબઇમાં 20 હજારથી વધુ કેસ નોંધાયા હતા
કોલકત્તામાં પણ કોરોના કેસમાં જોવા મળ્યો ઘટાડો
કોલકત્તામાં 1375 કેસ નોંધાયા જે આ વર્ષમાં સૌથી ઓછા
કોલકત્તામાં બે દિવસ પહેલા 2 હજારથી વધુ કેસ નોંધાતા હતા
પશ્ચિમ બંગાળમાં પણ બે દિવસથી કોરોના કેસ 10 હજારથી નીચે
પશ્ચિમ બંગાળમાં સંક્રમણનો દર ઘટીને 12.58 ટકા થયો
કોરોના નથી આવી રહ્યો કાબૂમાં
ભારતમાં કોરોના વાયરસની ખતરનાક ત્રીજી લહેરમાં દરરોજ કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના નવા ત્રણ લાખ 33 હજાર કેસ નોંધાય છે જ્યારે 533 દર્દીઓ વાયરસ સામેની લડાઈ હારી ગયા અને જીવ ગુમાવ્યો છે.
સતત વધી રહ્યા છે કેસ
ભારતમાં ચિંતાની બાબત છે કે પોઝિટીવીટી રેટ વધીને 17.78 પર પહોંચી ગયો છે અને એક્ટિવ કેસની સંખ્યા 21 લાખ 87 હજારને પાર જતી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલ આંકડાઓ અનુસાર 2 લાખ 59 હજાર દર્દીઓ સાજા પણ થયા છે.