કોરોના મામલામાં મંગળવારે એક વાર ફરી રાહત જોવા મળી છે. જાણો કેટલા કેસ નોંધાયા છે.
24 કલાકમાં કોરોનાના 25, 404 નવા મામલા
અત્યાર સુધી 3 કરોડ 32 લાખ 89 હજાર લોકો સંક્રમિત થયા છે
કેરળમાં કોરોનાના દૈનિક મામલા ડરાવી રહ્યા છે
24 કલાકમાં કોરોનાના 25, 404 નવા મામલા
ગત 24 કલાકમાં કોરોનાના 25, 404 નવા મામલા નોંધવામાં આવ્યા છે. જ્યારે 339 કોરોના સંક્રમિતોના જીવ ગયા છે. આ સમયમાં 37, 127 દર્દી સાજા થયા છે. આની પહેલા સોમવારે દેશમાં કોરોનાના 27, 254 મામલા સામે આવ્યા હતા. 9 સપ્ટેમ્બર કોરોના મામલા સતત ઘટી રહ્યા છે અને કોરોના કેસમાં આવી રહ્યો છે ઘટાડાથી સ્થિતિ સામાન્ય થઈ રહી છે. જો કે કેરળમાં કોરોનાનો આંકડો ચિંતાનું કારણ બની રહી છે.
અત્યાર સુધી 3 કરોડ 32 લાખ 89 હજાર લોકો સંક્રમિત થયા છે
કોરોના મહામારીની શરુઆતથી લઈને અત્યાર સુધી 3 કરોડ 32 લાખ 89 હજાર લોકો સંક્રમિત થયા છે. આમાંથી 4 લાખ 43 હજાર 213 લોકોના મોત થયા છે. સારી વાત એ છે કે અત્યાર સુધી 3 કરોડ 24 લાખ 84 હજાર લોકો સાજા થઈ ચૂક્યા છે. ભારતમાં કોરોનાના એક્ટિવ મામલાની સંખ્યા હાલમાં 3,62, 207 છે.
કેરળમાં કોરોનાના દૈનિક મામલા ડરાવી રહ્યા છે
બીજી તરફ સૌથી વધારે અસર કેરળમાં કોરોનાના દૈનિક મામલા ડરાવી રહ્યા છે. ત્યારે 150થી વધારે લોકો કોરોનાના કારણે શ્વાસ છોડ્યા છે. કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ અહીં લોકોને પોતાની ઝપેટમાં લઈ રહ્યો હતો. બાકી દેશભરમાં કોરોનાની સંખ્યામાં ઘટાડો રસીકરણ અભિયાન તેજ કરવાથી આવી છે. વિશેષજ્ઞોનું માનવું છે કે રસીકરણ ડ્રાઈવ તેજ થવાના કારણે કોરોનાના નવા મામલા ઓછા થઈ રહ્યા છે.
કોરોનાનો રિકવરી રેટ 97.58 ટકા છે
કોરોનાથી બચવા માટે રસીકરણ કવચ બનીને સામે આવી રહ્યું છે. દેશમાં કોરોનાના મામલાનો રેટ 1.78 ટકા છે. જ્યારે રિકવરી રેટ 97.58 ટકા છે. એક્ટિવ કેસ 1.09 ટકા છે. કોરોના એક્ટિવ કેસ મામલામાં દુનિયામાં ભારત હવે 7માં સ્થાન પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલામાં ભારત બીજા સ્થાન પર છે. જ્યારે અમેરિક, બ્રાઝિલ બાદ સૌથી વધારે મૌત ભારતમાં થયા છે.