વડોદરામાં કોરોના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, ગઈ કાલે 16 દિવસમાં બાદ એક દિવસમાં 9 કેસ સામે આવ્યા
રાજ્યમાં કોરોનીની ત્રીજી લહેરનો ખતરો યથાવત
હવે આ શહેરમાં 16 દિવસ બાદ કોરોના કેસમાં વધારો
હાલ 37 માંથી 7 ઓક્સિજન પર, 3 વેન્ટિલેટર પર
રાજ્યમાં વધતા જતા કોરોના કેસમાં હવે ઘટાડો નોંધાઈ રહ્યો છે બીજી લહેર બાદ હવે કોરોના સંક્રમણ ઘટતું જોવા મળી રહ્યું છે પરતું હજું પણ કોરોના ત્રીજી લહેરની શક્યતાઓ વર્તાઈ રહી છે ત્યારે વડોદરામાં કોરોના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. વડોદરામાં ગઈ કાલે 16 દિવસમાં બાદ એક દિવસમાં 9 કેસ સામે આવ્યા છે. હાલ વડોદરામાં કોરોનાના 37 કેસ એક્ટિવ છે જેમાંથી 7 દર્દી ઓક્સિજન પર અને 3 દર્દી વેન્ટિલેટર પર છે.
રાજ્યમાં કોરોનીની ત્રીજી લહેરનો ખતરો યથાવત
ગઈ કાલેતની વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા અનુસાર ગુરુવારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 34 નવા કેસ નોંધાયા છે, તો છેલ્લી 24 કલાકમાં એકપણ વ્યક્તિનું સંક્રમણના કારણે મોત થયું નથી. આજે ફરી એક વખત ગુજરાતમાં, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા આજેપણ સાજા થનારનો આંકડો વધુ છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 10,076 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 53 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 8,14,162 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ પણ ઘટ્યા અને સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 5 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 370 પર પહોંચ્યો છે. આમ દિવસેને દિવસે એક્ટિવ કેસના આંકમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે.
સુરત અને અમદાવાદમાં કોરોના સંક્રમણ ઘટ્યું
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ વચ્ચે રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. અમદાવાદ શહેરમાં આજે કોરોનાના 5 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 0 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 5 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 1 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં આજે 7 કેસ, જ્યારે ગ્રામ્યમાં 1 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 1 કેસ અને ગ્રામ્યમાં 0 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત.