સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે છેલ્લા 22 દિવસથી ભારતમાં કોરોનાના કેસો સતત ઘટી રહ્યા છે. 3 મે ના રોજ દેશમાં 17.13 ટકા કોરોનાના સક્રિય કેસો હતા, જે હવે ઘટીને 10.7 ટકા થઈ ગયા છે.
કોરોના કેસમાં છેલ્લા 17 દિવસમાં નોંધી શકાય તેવો ઘટાડો જોવા મળ્યો છે
સંયુક્ત સ્વાસ્થ્ય વિભાગના સચિવ લવ અગ્રવાલ દ્વારા જાણકારી આપવામાં આવી
કોરોના તપાસવાની પ્રક્રિયામાં પણ 2.6 ટકાનો વધરો કરવામાં આવ્યો
કોરોના કેસમાં છેલ્લા 17 દિવસમાં નોંધી શકાય તેવો ઘટાડો જોવા મળ્યો છે
કોરોના કેસમાં છેલ્લા 17 દિવસમાં નોંધી શકાય તેવો ઘટાડો જોવા મળ્યો છે. આ એક સારા સમાચાર કહી શકાય કે 40 દિવસ પછી સૌથી ઓછા કેસોનો રેકોર્ડ બની રહ્યો છે. તેમના જણાવ્યા અનુસાર દેશભરમાં 7 મે ના રોજ ચાર લાખ 14 હજાર કેસો સામે આવ્યા હતા, 12 મે ના રોજ લગભગ 3 લાખ 48 હજાર જેટલા કેસો સામે આવી હતા. આવી જ રીતે 17 મે ના રોજ બે લાખ 81 હજાર સુધી આ આંકડો પહોંચ્યો અને હવે છેલ્લા 24 કલાકમાં બે લાખ 22 હજાર કેસો સામે આવ્યા.
સંયુક્ત સ્વાસ્થ્ય વિભાગના સચિવ લવ અગ્રવાલ દ્વારા જાણકારી આપવામાં આવી
સંયુક્ત સ્વાસ્થ્ય વિભાગના સચિવ લવ અગ્રવાલના જણાવ્યા મુજબ 28 એપ્રિલથી 4 મે વચ્ચે 531 જિલ્લામાં દરરોજ 100 થી વધુ કેસો સામે આવી રહ્યા હતા, હવે એવા જિલ્લાઓની સંખ્યા 431 થઈ ગઈ છે. 10 મે એ કુલ 37 લાખ 45 હજાર એક્ટિવ કેસો હતા, એ હવે ઘટીને 27.2 લાખ થઈ ગયા છે. બે અઠવાડિયામાં આ કેસોની સંખ્યામાં લગભગ 10 લાખનો ઘટાડો થયો છે. વધુમાં તેમણે કહ્યું કે છેલ્લા 22 દિવસમાં દેશમાં સંક્રમણના આંકડાઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 3 મે ના રોજ દેશમાં 17.13 ટકા કોરોનાના સક્રિય કેસો હતા, જે હવે ઘટીને 10.7 ટકા થઈ ગયા છે.
કોરોના તપાસવાની પ્રક્રિયામાં પણ 2.6 ટકાનો વધરો કરવામાં આવ્યો
બીજી બાજુ છેલ્લા 15 અઠવાડિયામાં કોરોના તપાસવાની પ્રક્રિયામાં પણ 2.6 ટકાનો વધરો કરવામાં આવ્યો છે. જ્યારે છેલ્લા બે અઠવાડિયામાં ફેલાઈ રહેલા સંક્રમણમાં પણ હવે જલ્દીથી ઘટાડો જોવા મળી રહ્યો છે. મહામારીમાં, બાળકો અને યુવાનો પર થઈ રહેલ અસર વિશે AIIMSના ડૉક્ટર રણદીપ ગુલેરીયાએ કહ્યું કે "બાળકોને આ મહામારીમાં માનસિક તણાવ, સ્માર્ટફોનની આદત અને શૈક્ષણિક સમસ્યાઓથી ઘણું નુકશાન થઈ રહ્યું છે. હજી સુધી એવા કોઈ સંકેત નથી મળી રહ્યા કે જેમાં ત્રીજી લહેર વખતે બાળકો પર ખતરો વધી જશે.