ભારતમાં કોરોનાના કેસ તો ઘટી રહ્યા છે પરંતુ મોતનો આકંડો વધી રહ્યો છે . જે આપણા માટે એક ચિંતાનો વિષય બન્યો છે. ખાસ કરીને કેરળમાં કોરોનાને કારણે પરિસ્થિતી બેકાબૂ બની છે.
ભારતમાં મોટા ભાગના રાજ્યોમાં કોરોનાના કેસ ઘટ્યા
કેસ ઘટના પરંતુ મોતનો આંકડો હજુ ભયજનક
કેરળમાં કોરોનાને કારમે પરિસ્થિતી બેકાબૂ
દેશમાં કોરોનાના કેસ ઓછા નોંધાઈ રહ્યા છે. પરંતુ મોતનો આકડો દિવસને દિવસે વધી રહ્યો છે જે એક ચિંતાનો વિષય બન્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2 લાખ 34 હજાર કરતા પણ વધારે કેસ નોંધાયા છે. જોકે છેલ્લા 24 કલાકમાં 893 લોકોના મોત પણ થયા છે. જેથી કહી શકાય કે દિવસને દિવસે મોતનો આંકડો વધી રહ્યો છે.
કેરળમાં વિકેન્ડ લોકડાઉન
ખાસ કરીને કેરળમાં સ્થિતી કંટ્રોલની બહાર જઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં અહીયા કોરોનાના 51, 570 કેસ નોંધાયા છે. જ્યારે 14 લોકોના અહીયા મોત થયા છે. કેરળ સરકાર દ્વારા હવે કોરોના કંટ્રોલમાં રાખવા વીકેંડ કર્ફ્યુને પણ એક દિવસના લોકડાઉનમાં ફેરવી દેવામાં આવ્યું છે. સવારે સાતથી રાતના 9 વાગ્યા સુધી અહીયા માત્ર જરૂરી સામાન લેવા માટેની દુકાનો ખુલ્લી રહેશે. જોકે હોસ્પિટલ ખુલ્લી રહેશે સાથેજ લોકો વેક્સિનેશન પણ કરાવી શકશે.
કર્ણાટક અને તમિલનાડુમાં કેસ કેસ ઘટ્યા
કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 28 હજારથી વધું કેસ નોંધાયા છે. સાથેજ અહીયા 68 લોકોના મોત થયા છે. જોકે અહીયા સતત 2 દિવસથી 65 કરતા વધુ મોત થયા છે. જે એક ચિંતાનો વિષય બન્યો છે. તો બીજી તરફ તમિલનાડુમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. પરંતુ છેલ્લા 24 કલાકમાં અહિયા પણ 38 લોકોના મોત થયા છે.
મુંબઈમાં સૌથી ઓછા કેસ
મુંબઈમાં પણ કોરોનાના કેસ ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં અહીયા 1160 કેસ નોંધાયા છે. જ્યારે 10 લોકોના મોત થયા છે. તો દિલ્હીમાં પણ કોરોનાના કેસ ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 3,674 કેસ નોંધાયા છે. જ્યારે 30 લોકોના મોત થયા છે.
મોતનો આંકડો ચિંતાનો વિષય
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના કહેવા પ્રમાણે દેશમા એક્ટિવ કેસ ઘટી રહ્યા છે. જે સારી બાબત છે. પરંતુ મોટા ભાગના રાજ્યોમાં દિવસેને દિવસે મોતનો આંકડો વધી રહ્યો છે. જે આપણા માટે ગંભીર પ્રશ્ન બન્યો છે. બીજી તરફ અત્યાર સુધીમાં આપણા દેશમાં 165.70 કરોડ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. જેના કારણે કોરોના ઘણો કાબૂમાં રહ્યો છે તેવું કહી શકાય.