કોરોના વાયરસનો પ્રકોપ હવે ભારતમાં ઓછો થતો નજરે પડી રહ્યો છે.
24 કલાકમાં 15, 981 નવા મામલા સામે આવ્યા
8 દિવસોમાં દેશમાં 20 હજારથી ઓછા મામલા નોંધાયા
દેશમાં કોરોનાના ફક્ત 2, 01,632 એક્ટિવ કેસ
24 કલાકમાં 15, 981 નવા મામલા સામે આવ્યા
ગત 24 કલાકમાં આ કોરોનાના ફક્ત 15, 981 મામલા સામે આવ્યા છે. ગત 8 દિવસોમાં દેશમાં 20 હજારથી ઓછા મામલા નોંધાયા છે. જે રાહતની વાત છે. તેમ છતાં તહેવારોની ઋતુ આવતા જોઈ વિશેષજ્ઞોએ સલાહ આપી છે કે કડકાઈની સાથે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે.
સાજા થનારા કુલ દર્દીની સંખ્યા 3,33,99,961 થઈ
રાહતની વાત એ છે કે જે લોકો ગર રોજ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. તેનાથી વધારે લોકો સાજા થઈ રહ્યા છે. ગત 24 કલાકમાં 17,861 લોકો સાજા થઈ ગયા છે. જે બાદ દેશમાં રિકવર થનારા કુલ દર્દીની સંખ્યા 3,33,99,961 સુધી પહોંચી ગઈ છે.
દેશમાં કોરોનાના ફક્ત 2, 01,632 એક્ટિવ કેસ
ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા સતત ઓછી થઈ રહી છે. હાલમાં દેશમાં કોરોનાના ફક્ત 2, 01,632 એક્ટિવ કેસ છે. જે ગત 218 દિવસમાં સૌથી ઓછા છે. આ ઉપરાંત ગત 24 કલાકમાં 166 લોકોના કોરોનાથી મોત થયા છે. જે બાદ કોરોનાથી મરનારાની સંખ્યા 4,51, 980 પહોંચી ગઈ છે.
દેશમાં 58.98 કરોડ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા
આ ઉપરાંત કોરોના મામલાની ઓળખ કરવા માટે દેશમાં ટેસ્ટિંગ જારી છે. અત્યાર સુધી દેશમાં 58.98 કરોડ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. સાથે લોકોને વાયરસથી સુરક્ષા આપવા માટે રસીકરણ અભિયાન પણ ચાલૂ છે. જે અંતર્ગત અત્યાર સુધી કુલ 97.23 કરોડ રસી લગાવાઈ ચૂકી છે.