રાજ્યમાં 2,270 કોરોના કેસ નોંધાયા છે. રાજ્યમાં 1605 દર્દીઓ સાજા થયા છે.જયારે કુલ 152 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
ગુજરાતમાં કોરોના વાયરસનુ સંક્રમણ બેકાબૂ
રાજ્યમાં આજે 2270 કોરોના કેસ નોંધાયા
રાજ્યમાં આજે 1605 દર્દીઓ સાજા થયા
ગુજરાતમાં કોરોના વાયરસનુ સંક્રમણ બેકાબૂ થયો છે. રોજ બરોજ કેસની સંખ્યા ખુબ વધી રહી છે. રાજ્યમાં 2,270 કોરોના કેસ નોંધાયા છે. રાજ્યમાં 1605 દર્દીઓ સાજા થયા છે.જયારે કુલ 152 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસ 11,528 એક્ટિવ કેસ નોંધાયા છે. કોરોનાથી રાજ્યમાં 8 દર્દીના મૃત્યુ છે. અત્યાર સુધી કોરોનાથી કુલ 4492 લોકોના મૃત્યુ થયા છે. અને રોજ આ આંકડો વધી રહ્યો છે.તેના કારણે તંત્રની ચિંતામાં વધારો થયો છે.
વડોદરા શહેરમાં કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં કોરોનાના 304 કેસ સામે આવ્યા છે. વડોદરામાં અત્યાર સુધી કોરોનાના કુલ 27 હજાર 321 કેસ નોંધાયા છે. જેમાં 5 હજાર 224 સેમ્પલ ટેસ્ટમાંથી 304 કેસ પોઝિટિવ આવ્યા છે. અત્યાર સુધી વડોદરામાં કોરોનાને કારણે કુલ 247 મૃત્યુ થયા છે. હાલ વડોદરા શહેરમાં 95 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
સુરતમાં છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસની ગતિ વધી
સુરત શહેરમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે.પ્રથમ લહેર કરતા બીજી લહેર ખુબ ઘાતક બની છે. ગત 15 દિવસની વાત કરવામા આવે તો સુરતમાં છેલ્લા 15 દિવસમાં 5 હજારથી વધુ કેસ નોંધાયા છે.15 દિવસમાં કોરોનાના 5,370 કેસ સામે આવ્યા છે. છેલ્લા 15 દિવસમાં મૃત્યુઆંક વધ્યો છે અને ગત 15 દિવસમાં કોરોનાના 24 દર્દીઓના નિધન થયા છે. શહેરમાં વધતા કોરોનાને લઈ તંત્રની ચિંતા વધી છે.અને લોકોને અપીલ કરાઈ રહ્યા છે કે, તેઓ વેક્સિન લે અને કોરનોની ગાઈડલાઈનનું પાલન કરે.
ગુજરાતમાં કોરોના વાયરસનુ સંક્રમણ બેકાબૂ થયો છે. રોજ બરોજ કેસની સંખ્યા ખુબ વધી રહી છે. રાજ્યમાં 2,270 કોરોના કેસ નોંધાયા છે. રાજ્યમાં 1605 દર્દીઓ સાજા થયા છે.જયારે કુલ 152 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસ 11,528 એક્ટિવ કેસ નોંધાયા છે. કોરોનાથી રાજ્યમાં 8 દર્દીના મૃત્યુ છે. અત્યાર સુધી કોરોનાથી કુલ 4492 લોકોના મૃત્યુ થયા છે. અને રોજ આ આંકડો વધી રહ્યો છે.તેના કારણે તંત્રની ચિંતામાં વધારો થયો છે.