અમદાવાદમાં કોરોનાના દર્દીઓ વધતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. શહેરની અંદર ગામમાંથી આવતા લોકોનું આજથી સ્ક્રિનિંગ કરાશે. શહેરને જોડતા 8 સ્થલોએ પ્રવેશ માટે થર્મલ સ્ક્રિનિંગની સુવિધા ઉભી કરાઈ છે. ધોળકાથી આવતા બારકોલ સર્કલ, બાવળાથી આવતા સનાથલ સર્કલ, સાણંદથી આવતા શાંતિપુરા સર્કલ, દસ્ક્રોઈથી આવતા કમોડ સર્કલ પર સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. ગામમાંથી આવદા દૂધ અને શાકભાજીના વાહનોની હેર-ફેરને લઈને તંત્ર દ્વારા નિર્ણય કરાયો છે..