ભારતમાં સતત કોરોનાની ત્રીજી લહેર નબળી થઈ રહી છે. દેશમાં કોરોનાના આંકડા પર નજર નાખીએ તો, છેલ્લા 24 કલાકમાં 2,34,281 નવા કોરોનાના કેસો નોંધાયા છે.
દેશમાં કોરોનાના કેસોમાં ધીમે ધીમે રાહત મળી રહી છે
ત્રીજી લહેર નબળી પડતી હોવાના અણસાર દેખાઈ રહ્યા છે.
નવા કેસોની સરખામણીએ સાજા થનારા દર્દીઓની સંખ્યા વધી
ભારતમાં સતત કોરોનાની ત્રીજી લહેર નબળી થઈ રહી છે. દેશમાં કોરોનાના આંકડા પર નજર નાખીએ તો, છેલ્લા 24 કલાકમાં 2,34,281 નવા કોરોનાના કેસો નોંધાયા છે. જ્યારે 893 દર્દીઓના મોત થઈ ગયા છે. આ દરમિયાન 3,52,784 દર્દીઓ સાજા પણ થયા છે. જેનાથી અત્યાર સુધીમાં રિકવર થયેલા લોકોની સંખ્યા 3.87 કરોડથી વધારે થઈ ગઈ છે. હાલમાં દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 18,84,937 છે. એક્ટિવ કેસનો દર 4.59 ટકા અને રિકવરી રેટ 94.21 ટકા છે.
શનિવાર એટલે કે, 19 જાન્યુઆરીએ દેશભરમાં 16,15,993 કોવિડ ટેસ્ટ થયા. અત્યાર સુધીમાં 72.73 કરોડથી વધારે ટેસ્ટ થઈ ચુક્યા છે. હાલમાં સમયમાં ડેઈલી પોઝિટિવિટી રેટ 14.50 અને વિકલી પોઝિટિવિટી રેટ 16.40 ટકા છે. તો વળી કોરોના મહામારી વિરુદ્ધ સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન ચાલું છે. અત્યાર સુધીમાં 165.70 કરોડથી વધારે વેક્સિનના ડોઝ લગાવામાં આવી ચુક્યા છે. આ અગાઉ શુક્રવારે દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,35,532 નવા કોરોનાના કેસો નોંધાયા છે અને 871 દર્દીઓના મોત પણ થયા છે.