જીવલેણ વાયરસ કોરોના દેશમાં કાલની સરખામણીએ આજે ઘટી ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના એક લાખ 27 હજાર 952 નવા કેસો આવ્યા છે અને 1059 લોકોના મોત થઈ ગયા છે.
જીવલેણ વાયરસ કોરોના દેશમાં કાલની સરખામણીએ આજે ઘટી ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના એક લાખ 27 હજાર 952 નવા કેસો આવ્યા છે અને 1059 લોકોના મોત થઈ ગયા છે. કાલની સરખામણીએ આજે કોરોનાના કેસો ઓછા આવ્યા છે. કાલે એક લાખ 49 હજાર 394 કેસ આવ્યા હતા. દેશમાં પોઝિટિવિટિ રેટ હવે 7.98 ટકા છે. જાણો કોરોનાની તાજી સ્થિતી શું છે.
એક્ટિવ કેસ ઘટીને 13 લાખ 31 હજાર 648 થયા
કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રાલય તરફથી જાહેર કરવામા આવેલા નવા આંકડા મુજબ દેશમાં હવે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 13 લાખ 31 હજાર 648 થઈ ગઈ છે. તો વળી આ મહામારીથી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5 લાખ 1 હજાર 114 થઈ ગઈ છે. આંકડામાં જણાવ્યા અનુસાર કાલે બે લાખ 30 હજાર 814 લોકો સાજા થઈ ગયા હતા. જે બાદ અત્યાર સુધીમાં 4 કરોડ 24 લાખ 79 હજાર 2 લોકો સાજા થઈ ગયા છે.
અત્યાર સુધીમાં કુલ 169 કરોડ ડોઝ આપવામાં આવ્યા
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં કોરોના વાયરસ વિરોધી રસીના લગભગ 169 કરોડથી વધારે ડોઝ આપવામા આવ્યા છે. કાલે 47 લાખ 53 હજાર 81 ડોઝ આપવામાં આવ્યા હતા. જે બાદ અત્યાર સુધીમાં વેક્સિનના 169 કરોડ 98 લાખ 17 હજાર 199 ડોઝ આપવામાં આવ્યા છે.