ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં ધરખમ વધારો થઇ રહ્યો છે, ત્યારે આજે રાજ્યમાં કોરોનાનો આંકડો 500ને પાર પહોંચ્યો છે.
ગુજરાતમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો થયો
રાજ્યમાં આજે કોરાનાના વધુ 548 કેસ નોંધાયા
રાજ્યમાં આજે કોરોનાને માત આપીને 65 દર્દી ડિસ્ચાર્જ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 548 નવા કોરોનાના કેસ નોંધાયા છે, જ્યારે 65 દર્દીઓ સાજા થયા છે. તો કોરોનાથી રાજ્યમાં પોરબંદરમાં એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ 278 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1902 થઈ છે. તો કોરોનાગ્રસ્ત 11 દર્દી વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. જ્યારે 1902 દર્દી સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,18,487 દર્દી ડિસ્ચાર્જ થઇ ચૂક્યા છે. રાજ્યભરમાં અત્યાર સુધી 101106 મૃત્યુ થઈ ચૂક્યા છે.
ક્યાં કેટલા કેસ? : અમદાવાદ શહેરમાં 265, સુરત શહેરમાં 72, વડોદરા શહેરમાં 34, આણંદ 23, ખેડા 21, રાજકોટ શહેર 20, અમદાવાદ 13, કચ્છ 13, વલસાડ 9, સુરત 8, મોરબી 7, નવસારી 7, રાજકોટ 7, ભરુચ 6, ગાંધીનગર 6, ભાવનગર શહેર 5, વડોદરા 5, જામનગર શહેર 3, મહીસાગર 3, મહેસાણા 3, સાબરકાંઠા 3, સુરેન્દ્રનગર 3, અરવલ્લી 2, બનાસકાંઠા 2, ગાંધીનગર શહેર 2, જામનગર 2, અમરેલી 1, ભાવનગર 1, નર્મદા 1 અને પંચમહાલમાં 1 કેસ નોંધાયો છે.
ક્યાં નથી નોંધાયા કેસ? : બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જુનાગઢ, જુનાગઢ શહેર, પાટણ, પોરબંદર અને તાપીમાં કોરોનાનો એકપણ કેસ નથી નોંધાયો.
ઓમિક્રોન કેસની વિગત
8 કેસ અમદાવાદ શહેર
2 કેસ વડોદરા શહેર
5 કેસ સુરત શહેર
2 કેસ આણંદ
અત્યાર સુધીમાં કુલ નોંધાયેલા ઓમિક્રોન કેસની વિગત
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 97 ઓમિક્રોનના કેસ નોંધાયા છે, જેમાંથી 41 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે. ત્યારે જિલ્લા મુજબ જાણો કેસની વિગત
33 કેસ અમદાવાદ શહેર
21 કેસ વડોદરા શહેર
9 કેસ સુરત શહેર
8 કેસ આણંદ
6 કેસ ખેડા
5 કેસ ગાંધીનગર શહેર
5 કેસ રાજકોટ
4 કેસ મહેસાણા
3 કેસ જામનગર શહેર
1 કેસ ભરુચ
1 કેસ વડોદરા
1 કેસ પોરબંદર
દેશના અનેક રાજ્યોમાં આ દિવસોમાં ઠંડી પડી રહી છે.બીજી તરફ કોરોનાનો ખતરો પણ તોળાઈ રહ્યો છે જેને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ સરકારે 31 ડિસેમ્બરથી રાજ્યભરની શાળાઓમાં શિયાળુ વેકેશન આપવાનો નિર્ણય કર્યો છે.આ રજાઓ 14 જાન્યુઆરી સુધી રહેશે. આ દિવસોમાં યુપીમાં તમામ પ્રાથમિક અને જુનિયર શાળાઓ બંધ રહેશે. એટલે કે આ આદેશ ધોરણ 8 સુધીની શાળાઓને લાગુ પડશે.
કોરોના વકરતા PM મોદીએ રદ્દ કર્યો વિદેશ પ્રવાસ
પ્રધાનમંત્રી મોદી આ બંન્ને રાષ્ટ્રોનો પ્રવાસ (PM Narendra Modi UAE-Kuwait Visit) 6 જાન્યુઆરીના રોજ કરવાના હતા. સાઉથ બ્લોકના સૂત્રો પ્રમાણે,ઓમિક્રોનના વધતા કેસોને કારણે પ્રવાસ રિશિડ્યૂલ કરવો પડ્યો છે. સંભવત: ફેબ્રુઆરીમાં ફરીવાર પ્રવાસ ગોઠવવામાં આવી શકે છે.
ગોવા સરકારનો અનોખો નિર્ણય
ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે બુધવારે જણાવ્યું હતું કે રાજ્યમાં પાર્ટીઓમાં જોડાવા અથવા રેસ્ટોરન્ટમાં જવા માટે કોવિડ-19 નેગેટિવ રિપોર્ટ અથવા ડબલ રસીકરણ પ્રમાણપત્ર દર્શાવવું જરૂરી રહેશે. સાવંતે કહ્યું કે રાજ્ય સરકાર બુધવારે સાંજે આ નવા નિયમ અંગે વિગતવાર આદેશ જાહેર કરશે. પ્રવાસન ઉદ્યોગને ધ્યાનમાં રાખીને સરકાર કર્ફ્યુ કે નિયંત્રણો લાદી રહી નથી.